અંકલેશ્વર: ભંગારના ગોડાઉનોમાં આગની ઘટના બાદ ખુલ્લા પ્લોટમાં.પડેલ રસાયણિક કચરામાં આગ, ફાયર ફાયટરોએ મેળવ્યો કાબુ

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ નેશનલ હાઈવે પર જ ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી.

New Update

અંકલેશ્વરમાં આગનો વધુ એક બનાવ, નેશનલ હાઇવે નજીક લાગી આગ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ આગની વધુ એક ઘટના સામે આવી છે.  નેશનલ હાઇવે પર પરિવાર હોટલની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં આગ ફાટી નીકળી હતી.

ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રસાયણ યુક્ત કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ સાંજથી  કચરામાં આગ લાગી હતી જેના પર કાબુ મેળવવા ફાયર વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ રસાયણિક કચરો કોનો છે અને કોણે અહીં ઠાલવ્યો હતો તે સહિતની દિશામાં તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: વાલિયા ઝઘડિયા માર્ગ પર વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા વાહનવ્યવહાર થયો બંધ, પોલીસ જવાનોએ બાજુ પર ખસેડયુ

ભરૂચના વાલિયા-ઝઘડિયા માર્ગ ઉપર વૃક્ષ  ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ થતા વાલિયા પોલીસ મથકના જવાનોએ વન વિભાગની ટીમ સાથે મળી વૃક્ષને માર્ગની બાજુમાં ખસેડી સરાહનીય કામગીરી કરી હતી.

New Update
IMG-20250617-WA0021

ભરૂચના વાલિયા-ઝઘડિયા માર્ગ ઉપર વૃક્ષ  ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ થતા વાલિયા પોલીસ મથકના જવાનોએ વન વિભાગની ટીમ સાથે મળી વૃક્ષને માર્ગની બાજુમાં ખસેડી સરાહનીય કામગીરી કરી હતી.

ભરૂચના વાલિયા પંથકમાં ગત સાંજે પવનના સુસવાટા સાથે ખાબકેલા ભારે વરસાદને પગલે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી.ત્યારે વાલિયા-ઝઘડિયા માર્ગ ઉપર વૃક્ષ વન વિભાગની કચેરી સામે અને નીલકંઠ સોસાયટી પાસે મુખ્ય માર્ગને અડીને આવેલા બે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી.જેને પગલે મુખ્ય માર્ગ ઉપર બંને તરફ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.આ અંગેની જાણ વાલિયા પોલીસ મથકે થતા પી.આઈ. એમ.બી.તોમરના માર્ગ દર્શન હેઠળ ડી-સ્ટાફના અજિતભાઈ,મનોજભાઈ અને નિશાંતભાઈ,કૌશિકભાઈ તેમજ સંદીપભાઈ સહિત અન્ય જવાનો તેમજ વન વિભાગના બીટ ગાર્ડ દિનેશ દિનેશ રાઠવા જેસીબી અને અન્ય વાહનની મદદ વડે બંને વૃક્ષો માર્ગ ઉપરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવી સરાહનીય કામગીરી કરી હતી.વાલિયા પોલીસના જવાનો અને વન વિભાગની કામગીરીને રાહદારીઓએ બિરદાવી હતી.