અંકલેશ્વર: ભંગારના ગોડાઉનોમાં આગની ઘટના બાદ ખુલ્લા પ્લોટમાં.પડેલ રસાયણિક કચરામાં આગ, ફાયર ફાયટરોએ મેળવ્યો કાબુ

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ નેશનલ હાઈવે પર જ ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી.

New Update

અંકલેશ્વરમાં આગનો વધુ એક બનાવ, નેશનલ હાઇવે નજીક લાગી આગ

Advertisment

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ આગની વધુ એક ઘટના સામે આવી છે.  નેશનલ હાઇવે પર પરિવાર હોટલની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં આગ ફાટી નીકળી હતી.

ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રસાયણ યુક્ત કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ સાંજથી  કચરામાં આગ લાગી હતી જેના પર કાબુ મેળવવા ફાયર વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ રસાયણિક કચરો કોનો છે અને કોણે અહીં ઠાલવ્યો હતો તે સહિતની દિશામાં તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisment