અંકલેશ્વર: ટ્રાફિકની વિકટ સમસ્યા દૂર કરવા કવાયત, પોલીસ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.

New Update
અંકલેશ્વરમાં ટ્રાફિકજામની વિકટ સમસ્યા
હાઇવે પર વાલિયા ચોકડી નજીક ભારે જામ
આંતરિક માર્ગો પર પણ અટવાય છે વાહનચાલકો
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ
ટ્રાફિકની સમસ્યા હળવી કરવા જરૂરી સૂચન કરાયા
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર થતાં ટ્રાફિકજામને પગલે ઉચ્ચ અધિકારીઓના નિરીક્ષણ બાદ આજે ટ્રાફિકની સમસ્યા આંશિક કાબુમાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.
તેવામાં અંકલેશ્વરની મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર અવાર નવાર ટ્રાફિકની સમસ્યાનું કેવી રીતે નિવારણ થાય તે માટે અંકલેશ્વરના ડી.વાય.એસ.પી ડો. કુશલ ઓઝા અને બી ડિવિઝનના પી.આઈ,જી.આઈ.ડી.સી.ના પી.આઈ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસના પી.આઈ ભાવના મહેરિયા સહિતના અધિકારીઓ વાલિયા ચોકડી ખાતે સ્થળ નિરીક્ષણ કરી ટ્રાફિકના પ્રશ્નને કેવી રીતે નિવારણ કરવું તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે બાદ ટ્રાફિકમાં નડતર દબાણ દૂર કરવા તેમજ જરૂર જણાય ત્યાં બેરીકેટ મૂકવા માટે પોલીસ જવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી.જે બાદ આજરોજ વાલિયા ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી નહિવત ટ્રાફિક જોવા મળ્યો હતો.
Read the Next Article

આમોદ-જંબુસરને જોડતા ઢાઢર નદીના બ્રિજ મુદ્દે કોંગ્રેસે કાઢી તંત્રની સ્મશાન યાત્રા, પોલીસે કરી અટકાયત

પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઢાઢર બ્રિજ પર ભાજપના બેનરોને ઉંધા પહેરીને રોષ વ્યકત વ્યક્ત કર્યો.

New Update

ભરૂચના આમોદ જંબુસર રોડ પર આવેલો છે બ્રિજ

ઢાઢર નદી પરનો જર્જરીત બ્રિજ

બ્રિજ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

તંત્રની કાઢવામાં આવી સ્મશાન યાત્રા

પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત

ભરૂચના અમૃતથી જંબુસરને જોડતો ધાધર નદી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા તેનો સમારકામ ન કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું
ભરૂચના આમોદ-જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં નવા બ્રિજના નિર્માણને લઇ કાયમી ઉકેલ ન આવતાં કોંગ્રેસે આજે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઢાઢર બ્રિજ પર ભાજપના બેનરોને ઉંધા પહેરીને રોષ વ્યકત વ્યક્ત કર્યો.
કાર્યકરોએ મુખ્યમંત્રી-ગૃહમંત્રી રાજીનામું આપો જેવા સૂત્રોચાર સાથે સ્મશાન યાત્રા કાઢી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનના પગલે  આમોદ અને જંબુસર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત તમામ કાર્યકરોને અટકાયત કરી આમોદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહીસાગર નદી પર આવેલા મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા પછી આ બ્રિજ પણ જર્જરીત હાલતમાં હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.