અંકલેશ્વર: UPL યુનિવર્સીટી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય પર  સેમિનાર યોજાયો

યુપીએલ યુનિવર્સિટી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય પર  ચિંતન અને  મંથન વિશે સેમિનાર યોજાયો 

New Update
  • અંકલેશ્વરની UPL યુનિવર્સીટી દ્વારા આયોજન

  • જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો સહયોગ સાંપડ્યો

  • વિજ્ઞાન- ગણિત વિષય પર સેમિનાર યોજાયો

  • જિલ્લાના 300 જેટલા શિક્ષકોએ લીધો ભાગ

  • શિક્ષણને રસપ્રદ બનાવવા અપાયું માર્ગદર્શન

Advertisment W3.CSS
યુપીએલ યુનિવર્સિટી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય પર  ચિંતન અને  મંથન વિશે સેમિનાર યોજાયો 
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન  થિયેટર ખાતે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ભરૂચ જિલ્લાની શાળાના શિક્ષકો માટે વિજ્ઞાન અને ગણિત વિષય પર એકદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ, યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી, એઆરઈએસ સચિવ અંગીરસ શુક્લા અને પ્રોવોસ્ટ ડૉ. શ્રીકાંત જે.વાઘ, પ્રોફેસર કમલનયન જોશીપુરા તેમજ અને ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓના ૩૦૦ જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.આ સેમીનારમાં શાળાના શિક્ષકોને શિક્ષણને રસપ્રદ બનાવવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવા સહિત વધુ એક ST બસ ફાળવવા ગ્રામજનોની રજૂઆત...

ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી...

New Update
  • ઝઘડિયાના હરીપુરા અને આસપાસના ગ્રામજનોને હાલાકી

  • હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી

  • બહાર અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને પણ બસની અગવડ

  • વધુ એક બસની ફાળવણી કરવાના આવે તેવી માંગ કરાય

  • જાગૃત ગ્રામજનોની સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત

Advertisment W3.CSS

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવા અને બસ માટે વિદ્યાર્થીઓને પડતી અગવડ માટે જાગૃત ગ્રામજનોએ સાંસદને મૌખિક રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ સવારે રાજપીપલાથી આવતી બસ મુસાફરોથી ભરેલી હોવાના કારણે વિદ્યાર્થીઓને ભરૂચઝઘડિયા અને રાજપારડી અભ્યાસ કરવા જવા માટે મુશ્કેલી પડે છે. જેથી બીજી બસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.

ગ્રામજનોએ જણાવ્યું હતું કેરાજપીપલાથી ભરૂચ માટે બસ તો આવે છે. પણ બસમાં વધુ મુસાફરો હોવાથી સીટ ખાલી હોતી નથી. જેથી બસ સ્ટેન્ડ પર બસને ઉભી રાખવામાં આવતી નથી. જેના કારણે રોજ અપ-ડાઉન કરતા હરીપુરારાજપરાઉચ્છબ અને રૂપાણીયા ગામ મળી 4 ગામના વિદ્યાર્થીઓને મજબૂર થઈ ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડે છે. જેથી વધુ એક બસ શરૂ કરવા માટે તેમજ હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની મૌખિક રજૂઆત કરવામાં આવી છે.