અંકલેશ્વર: સ્ક્રેપના 8 ગોડાઉન ભડકે બળવાના મામલામાં તંત્ર સંચાલકોને નોટીસ પાઠવશે, કડક કાર્યવાહી ક્યારે ?

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્ક્રેપના 8 ગોડાઉન ભડકે બળવાના મામલામાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે.તંત્ર દ્વારા ગોડાઉનના સંચાલકોને નોટિસ પાઠવી ફાયર સેફટી અંગેના ખુલાસા પૂછવામાં આવશે

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

  • સ્ક્રેપના ગોડાઉનમાં લાગી હતી આગ

  • 8 ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળી

  • તંત્ર સંચાલકોને પાઠવશે નોટીસ

  • તંત્ર કડક કાર્યવાહી ક્યારે કરશે ?

Advertisment
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્ક્રેપના 8 ગોડાઉન ભડકે બળવાના મામલામાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે.તંત્ર દ્વારા ગોડાઉનના સંચાલકોને નોટિસ પાઠવી ફાયર સેફટી અંગેના ખુલાસા પૂછવામાં આવશે
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા નોબેલ માર્કેટમાં ગતરોજ સમીસાંજના સમયે સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્ક્રેપના આઠ ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગને કાબૂમાં લેવા માટે અંકલેશ્વર ભરૂચ પાનોલી, ઝઘડિયા તેમજ ખાનગી કંપનીના 12થી વધુ ફાયર ટેન્ડરોએ  70થી વધુ રાઉન્ડ લગાવી લગભગ છથી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે આ મામલામાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે.આ અંગે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આગ લાગવાના મામલામાં સ્ક્રેપના ગોડાઉન સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમને નોટિસ ફટકારી ફાયર સેફટી અંગેના ખુલાસા પૂછવામાં આવશે.
નેશનલ હાઇવેને અડીને મોટી સંખ્યામાં સ્ક્રેપના ગોડાઉન ધમધમે છે જેને તંત્રએ પરવાનગી પણ આપી નથી ત્યારે પર્યાવરણવાદીઓ સિસ્ટમ અને ઉદ્યોગોને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે અને આ અંગે કડક પગલાં ભરવાની પણ માંગ કરી રહ્યા છે.
Advertisment
અત્રે ઉલ્લેખનીય છે કે 8 ગોડાઉનમાં આગના પગલે ધુમાડાના કારણે નજીકમાં આવેલા ભદકોદ્રા ગામના રહીશોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો પણ ઉઠી હતી.સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે છતાં પણ તંત્ર નોટિસ પાઠવી સંતોષ માને છે ત્યારે આ મામલામાં હવે કડક કાર્યવાહીની જરૂરિયાત ઊભી થઈ છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment