ભરૂચ: અંકલેશ્વર નેશનલ હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત,ટ્રક પાછળ કાર ઘૂસી જતા ત્રણના કરૂણ મોત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ પાસે પાછળ ચાલતા વાહને કારને ટક્કર મારતા કાર આગળ ચાલતા ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ હતી

New Update
  • મુંબઇનો પરિવાર કાળનો કોળિયો બન્યો

  • નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત

  • ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત

  • કારમાં સવાર ત્રણ યુવાનોના કરૂણ મોત

  • ચાર ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે ખસેડાયા 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ પાસે પાછળ ચાલતા વાહને કારને ટક્કર મારતા કાર આગળ ચાલતા ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ હતીસર્જાયેલા અકસ્માતમાં 7 પૈકી 3 યુવાનોના ગંભીર ઈજાને પગલે કરુણ મોત નિપજ્યા હતા,જ્યારે ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મુંબઇના પાલઘરનો પરિવાર 6 જાન્યુઆરીના રોજ અજમેર ખાતે ગયો હતો.ત્યાંથી પરિવાર કારમાં મુંબઇ ખાતે જવા રવાના થયો હતો.તે દરમિયાન રાતે 3 કલાકે અંકલેશ્વર હાઇવે ઉપર સુરત તરફના ટ્રેક પર બાકરોલ બ્રિજ પાસે પાછળથી ધસી આવેલ વાહને કારને ટક્કર મારતા કાર આગળ ચાલતી ટ્રકમાં ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 32 વર્ષીય તાહિર શેખ,23 વર્ષીય આર્યન ચોગલે અને 25 વર્ષીય મુદ્દસરન જાટનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

જ્યારે કારમાં સવાર અન્ય ચાર લોકોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અકસ્માતને પગલે પાનોલી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ સર્જાયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો,જેના કારણે ક્રેઈનની મદદથી ઇજાગ્રસ્તોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.સર્જાયેલી ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાય ગયો હતો.પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે પ્રયત્ન કરીને વાહન વ્યવહારને રાબેતા મુજબ શરૂ કર્યો હતો.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.