ભરૂચ: ઝઘડિયાના રાણીપુરા નજીક ડમ્પરની ટકકરે મોપેડ સવાર યુવતીનું મોત !

ભરૂચના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક હાઈવા ટ્રકની અડફેટે મોપેડ સવાર યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું 

New Update
  • ભરૂચના ઝઘડિયાનો બનાવ

  • રાણીપુરા ગામ નજીક સર્જાયો અકસ્માત

  • ડમ્પર ચાલકે મોપેડને મારી ટક્કર

  • મોપેડ સવાર યુવતીનું મોત

  • ઝઘડિયા પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક હાઈવા ટ્રકની અડફેટે મોપેડ સવાર યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું 
અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે રહેતી અને નિવૃત્ત તલાટીની પુત્રી પ્રિયા પટેલ તેની બહેનપણીનો જન્મદિવસ હોય ઝઘડિયા ખાતે ગઈ હતી. ઝઘડિયાથી પરત મોપેડ પર
આવી રહી હતી તે દરમિયાન રાણીપુરા ગામ નજીક બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારી હતી.આ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મોપેડ સવાર યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાની સાથે જ લોકો એકત્રિત થઈ ગયા હતા તો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ તરફ ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પરજ મૂકી ફરાર થઈ ગયો હતો. ઝઘડિયા પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોઘી ફરાર ડમ્પર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.