ભરૂચ: અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી બાદ માર્ગ જ ન બન્યો, સ્થાનિકોમાં રોષ

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઈનનું કામકાજ કરાયા બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

New Update
  • ભરૂચના વોર્ડ નંબર 3માં આવેલ છે અંબિકાનગર

  • અંબિકા નગરમાં માર્ગની સમસ્યા

  • ગટર લાઇનની કામગીરી બાદ માર્ગ ન બનાવાયો

  • સ્થાનિકોને ભારે હાલાકી

  • વારંવાર રજુઆત છતાં પરિણામ શૂન્ય

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઈનનું કામકાજ કરાયા બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી આવી જ પરિસ્થિતિ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગરમાં પણ જોવા મળી રહી છે. અંબિકા નગરમાં માર્ગ પર પથ્થર નાખવામાં આવ્યા છે પરંતુ અહીં પણ ગટર લાઈનની કામગીરી કરાયા બાદ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિકોએ આ અંગે જણાવ્યું હતું કે વારંવાર નગરસેવા સદનમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે અવરજવરમાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.