New Update
/connect-gujarat/media/media_files/2025/06/12/alDGtJMiU98FBkIQ2ss3.jpeg)
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચ વાલીયા તાલુકાના વિવિધ ગામમાં ખેડૂતમિત્રો માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
આ તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ કૃષિ યુનિવર્સિટી ચાસવડના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિકના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.જેમાં તાલીમમાં કે.વી.કેના વૈજ્ઞાનિકોએ આત્મા પ્રોજેક્ટ, તેમજ ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
/connect-gujarat/media/media_files/2025/06/12/g2nqWvGLhUnsj3Dvkydv.jpeg)
ખેડૂતોએ ખેતી સંબંધિત અનેક મહત્વપૂર્ણ વિષયો જેવા કે સરકારની ખેડૂતલક્ષી સહાય યોજનાઓ,ખરીફ પાકોની નવી જાતો અને નવીન ખેતી ટેક્નોલોજી, સોઈલ હેલ્થ કાર્ડના ફાયદા, પાકોના મૂલ્યવૃદ્ધિના માધ્યમથી વધુ આવક મેળવવી, પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો, કેળાની વૈજ્ઞાનિક ખેતી તેમજ કેળામાંથી બનતી અનેક બનાવટો પર માર્ગદર્શન મેળવ્યું હતું. આ તાલીમમાં વિવિધ ગામોના ૩૦૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરીને તાલીમનો લાભ લીધો હતો.