ભરૂચ : ઝઘડિયાની રાજપારડી-મધુપુરા ફાટક નજીક સર્જાયો અકસ્માત, રોષે ભરાયેલા ગ્રામજનોએ કર્યો ચક્કાજામ..!

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી-મધુપુરા ફાટક નજીક ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો હતો.

New Update
  • ઝઘડિયાના રાજપારડી-મધુપુરા ફાટક નજીકનો બનાવ

  • ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા સર્જાયો અકસ્માત

  • રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો

  • વારંવાર થતાં અકસ્માતોના પગલે ગ્રામજનોમાં ઉગ્ર રોષ

  • વહેલી તકે બિસ્માર રસ્તાનું સમારકામ કરાવવાની માંગ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી-મધુપુરા ફાટક નજીક ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી-મધુપુરા ફાટક નજીક ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને અડફેટમાં લેતા મારતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઇક સવારનો આબાદ બચાવ થયો હતો. પરંતુ અહીના માર્ગ થતાં વારંવાર અકસ્માતના પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ તંત્ર સમક્ષ પોતાનો રોષ ઠાલવી બિસ્માર રસ્તાનું સમારકામ કરવા માંગ કરી હતી.

તો બીજી તરફચક્કાજામના પગલે વાહનોની લાંબી કતારો લાગતા ઝઘડિયા પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતોજ્યાં લોકોને સમજાવી મામલો થાણે પાડી રસ્તો રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. જો ટૂંક સમયમાં આ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

 

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.