ભરૂચ : ઝઘડિયાની રાજપારડી-મધુપુરા ફાટક નજીક સર્જાયો અકસ્માત, રોષે ભરાયેલા ગ્રામજનોએ કર્યો ચક્કાજામ..!

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી-મધુપુરા ફાટક નજીક ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો હતો.

New Update
  • ઝઘડિયાના રાજપારડી-મધુપુરા ફાટક નજીકનો બનાવ

  • ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા સર્જાયો અકસ્માત

  • રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો

  • વારંવાર થતાં અકસ્માતોના પગલે ગ્રામજનોમાં ઉગ્ર રોષ

  • વહેલી તકે બિસ્માર રસ્તાનું સમારકામ કરાવવાની માંગ

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી-મધુપુરા ફાટક નજીક ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી-મધુપુરા ફાટક નજીક ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને અડફેટમાં લેતા મારતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઇક સવારનો આબાદ બચાવ થયો હતો. પરંતુ અહીના માર્ગ થતાં વારંવાર અકસ્માતના પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ તંત્ર સમક્ષ પોતાનો રોષ ઠાલવી બિસ્માર રસ્તાનું સમારકામ કરવા માંગ કરી હતી.

તો બીજી તરફચક્કાજામના પગલે વાહનોની લાંબી કતારો લાગતા ઝઘડિયા પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતોજ્યાં લોકોને સમજાવી મામલો થાણે પાડી રસ્તો રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. જો ટૂંક સમયમાં આ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

 

Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment