ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.