ભરૂચ: આંબેડકર જયંતિની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરાયું

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર જયંતિની ઉજવણીના ભાગરૂપે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

જિલ્લા ભાજપ દ્વારા આયોજન કરાયું

આંબેકડર જયંતિની કરાય ઉજવણી

યુવા સંમેલન યોજાયું

આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર જયંતિની ઉજવણીના ભાગરૂપે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની ૧૩૪મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાનોને તેમના અમૂલ્ય યોગદાનથી માહિતગાર કરવાનો ઉદ્દેશ્ય સાથે  "યુવા સંમેલન"નું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમ ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેન્ક હોલ, સ્ટેશન રોડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના સહપ્રવક્તા ભરત ડાંગર અને પૂર્વ મંત્રી શબ્દસરણ તડવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વક્તવ્ય આપ્યું હતું સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રાણા ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડીયા પૂર્વ પ્રમુખ મારુતિ શ્રી ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રૂષભ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Latest Stories