ભરૂચ: બાયપાસ રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવવાની વિકટ સમસ્યા, સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

ભરૂચ બાયપાસ રોડની  સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી.

New Update
  • ભરૂચના બાયપાસ રોડના રહીશો મુશ્કેલીમાં

  • વરસાદી પાણી ભરાવવાની સમસ્યા

  • વર્ષોથી રજુઆત છતાં પરિણામ શૂન્ય

  • રહીશોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

  • આંદોલનની ચીમકી ઉચ્ચરાય

ભરૂચ બાયપાસ રોડની  સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી.
ભરૂચના દેહજ બાયપાસ રોડ પર આવેલી આરઝુ પાર્ક, અરમાન બંગલોઝ અને બાગે ફિરદોષ સોસાયટીના રહીશો  છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા છે. અનેકવાર સંબંધિત વિભાગો અને તંત્રને રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ પોઝિટિવ પગલું લેવામાં આવ્યું નથી.સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વરસાદ પડે એટલે રોડ અને સોસાયટીની અંદર પાણી ભરાઈ જાય છે અને ઘણા દિવસો સુધી તેનો કોઈ નિકાલ થતો નથી. આ સમસ્યાના  કારણે સ્કૂલના વાહનો સોસાયટી સુધી પહોંચતા નથી. વાલીઓ બાળકોને પગપાળા લઈ જવા મજબૂર બને છે.
બીજી તરફ, મેડિકલ ઈમરજન્સીની પરિસ્થિતિમાં વૃદ્ધો અને દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આવતા દિવસોમાં પણ જો સમસ્યાનો નિકાલ ન આવે તો રહીશો હાઇવે અને નજીકના બ્રિજ પર ધરણા અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.આ અંગે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક તંત્ર દ્વારા નિકાલ લાવાની માંગણી કરી છે.
Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.