ભરૂચ: ભાજપ અધ્યક્ષ CR પાટીલના જન્મ દિવસની સેવાકાર્યો દ્વારા ઉજવણી

ભરુચ શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ  અધ્યક્ષ  સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી

  • સી.આર.પાટીલના જન્મ દિવસની કરાય ઉજવણી

  • વિવિધ સેવાકાર્યો દ્વારા ઉજવણી કરાય

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • ભાજપના આગેવાનોએ આપી હાજરી

Advertisment
ભરુચ શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ  અધ્યક્ષ  સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ  અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમો ભરૂચ જિલ્લા નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી તથા  ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યા હતા.જેમાં પ્રથમ સીવીલ હોસ્પિટલમાં આવેલા સેવાયજ્ઞ સમિતિ ખાતે રહેતા નિરાધાર અને ભરૂચ સિવિલ હોસ્પિટલ દાખલ દર્દીઓની મુલાકાત લઈને તેમને ફ્રૂટ વિતરણ કરાયું હતું ત્યાર બાદ મકતમપુર અને ભોલાવ પંચાયત બેઠકમાં આવેલા ડેરા તલાવડી સેવા વસ્તી ખાતે પણ સી.આર. પાટીલના જન્મ દીવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી.
જેમાં ભરૂચ ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી તથા  ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
Advertisment
Read the Next Article

ઝઘડિયા : અવિધાના આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,

New Update
  • ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલની સુવિધામાં વધારો

  • આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા કાર્યરત છે હોસ્પિટલ

  • 60 વર્ષ પહેલા હોસ્પિટલનો થયો હતો પ્રારંભ

  • અદ્યતન એક્સ-રે મશીનની સુવિધાનો થયો પ્રારંભ

  • અંકલેશ્વર AIA પ્રમુખના હસ્તે એક્સ-રેનો કરાયો પ્રારંભ  

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ખાતે સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતોહાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય બીમારીમાં પણ વધારો થતાં આરોગ્ય વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઉભી કરવામાં આવી રહી છેઆજરોજ આ હોસ્પિટલમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સાથે  સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના 98 વર્ષીય કાંતિ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,સંસ્થાના પ્રમુખ કિરીટ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા,અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓયુવાનો માટેની‌‌ વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Advertisment