ભરૂચ: બુટલેગરોએ બંધ મકાનને દારૂનું ગોડાઉન બનાવ્યું

ભરૂચ સી ડિવિઝન પોલીસે ચાવજ ગામની રાધે રેસીડેન્સી પાસે આવેલ બંધ મકાનમાંથી 1615  વિદેશી દારૂ મળી કુલ રૂ.3.57 લાખના મુદ્દામાલ સાથે રખેવાળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

ભરૂચ સી ડિવિઝન પોલીસે ચાવજ ગામની રાધે રેસીડેન્સી પાસે આવેલ બંધ મકાનમાંથી 1615  વિદેશી દારૂ મળી કુલ રૂ.3.57 લાખના મુદ્દામાલ સાથે રખેવાળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ સી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ જિલ્લા પંચાયતની પાસે આચારજીની ચાલમાં રહેતો રાહુલ વસાવા અને દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લોઢવાડના ટેકરામાં રહેતો નરેશ  કહારે ભેગા મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી ચાવજ ગામની રાધે રેસિડેન્સી ખાતે બાવળની ઝાડીની બાજુના બંધ મકાનમાં સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1615 નંગ બોટલ મળી કુલ રૂ. 3.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને રાધે રેસિડેન્સીમાં રહેતો વિશાલ ગીરીશ પટેલને ઝડપી પાડ્યો હતો જેની  પૂછપરછ કરતા આ જથ્થો બુટલેગર રાહુલ વસાવા અને નરેશ કહાર લાવ્યા હોવાં સાથે પોતે વિદેશી દારૂનો જથ્થો સાચવતો હોવાનું જણાવ્યું હતું.પોલીસે  બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment