ભરૂચ: બિસ્માર માર્ગોનું તાકીદે સમારકામ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનોએ ચીફ ઓફિસરને કરી રજુઆત

ભરૂચ નગરપાલિકા દ્વારા મંજૂર થઇ ગયેલા રસ્તાઓનું કામ શરૂ કરવા  તેમજ બિસ્માર માર્ગો પર તાત્કાલિક ધોરણે પેચવર્ક કામ કરવાની માંગ સાથે વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી

New Update
  • ભરૂચ શહેરના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર

  • બિસ્માર માર્ગના કારણે હાલાકી

  • કોંગ્રેસ દ્વારા કરાય રજુઆત

  • ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી

  • તાત્કાલિક સમારકામની ચીફ ઓફિસરની ખાતરી

ભરૂચ નગરપાલિકા દ્વારા મંજૂર થઇ ગયેલા રસ્તાઓનું કામ શરૂ કરવા  તેમજ બિસ્માર માર્ગો પર તાત્કાલિક ધોરણે પેચવર્ક કામ કરવાની માંગ સાથે વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી
ભરૂચ શહેરના રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ પુરવા માટે વારંવાર વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે ચોમાસું વીતી ગયું છે, ત્યાં ભરૂચ શહેરના તમામ વોર્ડના રસ્તાઓ રીપેરીંગ કરવા ખાડા પુરી પેચવર્ક કરવા તેમજ જે રસ્તાઓ મંજૂર થઈ ગયેલા છે તે રસ્તાઓનું કામ શરૂ કરવાની માંગણી વિપક્ષ દ્વારા ચીફ ઓફિસર ને રજૂઆત કરવામાં આવી  છે..જેમા જણાવાયું છે કે ભરૂચના પાંચબત્તીથી આલીઢાળથી લઇ મહંમદપુરા બાયપાસ તેમજ બંબાખાના સુધીના રસ્તા ઉપર પડેલા ખાડાઓ પુરવા દિવાળી બાદ  શરૂ કરવા જણાવેલ હતું તે મુજબ પેચવર્કની કામગીરી કરવામાં આવે.ભરુચના  પાંચબત્તી ઢાળથી લઈને બાયપાસ તેમજ મોહમ્મદપુરા થી બંબાખાના સુધી નવો રસ્તો બનાવવા માટે સામાન્ય સભામાં થયેલી દરખાસ્તને શાસક પક્ષે સર્વાનુમતે મંજૂર કરી હતી. તેની ગ્રાન્ટની મંજૂરી માટેની તમામ પ્રક્રિયા વહેલી પૂર્ણ કરી આ રસ્તાની નવીનીકરણની કામગીરી કરવામાં આવે.
આ અંગે ભરૂચ નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દિવાળીના કારણે કામગીરી ખોરંભે પડી હતી પરંતુ તાત્કાલિક જ માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.