New Update
ભરૂચના નેત્રંગમાં વિરોધ
કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું
બિસ્માર માર્ગના પગલે પ્રદર્શન
ચક્કાજામનો પ્રયાસ કરાયો
માર્ગના સમારકામની માંગ
ભરૂચના નેત્રંગ તાલુકાની પ્રજા ચારેય તરફ બિસ્માર માર્ગને લઈ હાલાકી વેઠી રહી હોવાના આક્ષેપ સાથે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે કોંગ્રેસ દ્વારા બિસ્માર માર્ગને લઈ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચના નેત્રંગ તાલુકાના કવચિયાથી મોવી,રાજપીપળાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે.જેને પગલે વાહન ચાલકો સહિત ગ્રામજનો હાલાકી વેઠી રહ્યાં છે.આ માર્ગોના પેચવર્ક માટે NHAI દ્વારા 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પરંતુ પેચવર્કના નામે રૂપિયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ચાઉ કરી ગયા હોવાના કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.જ્યારે 55 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગ પણ હાલ ચોમાસામાં બિસ્માર બન્યા છે.
એક તરફ ચાલુ વરસાદે રોડની કામગીરી ચાલી રહી છે.જે માર્ગ એક તરફ તૂટી રહ્યો છે.જેની કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ થયો હોવાના આક્ષેપ સાથે જેતે સમયે ખાતમુહૂર્ત કરનાર નેતાઓએ કામગીરી દરમિયાન કામનું નિરીક્ષણ કર્યું નથી જેના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી આચરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે.ત્યારે આ ખાતમુહૂર્ત કરનાર નેતાઓએ તકલાદી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી સબક શીખવાડવા સાથે બંને માર્ગોની કામગીરીમાં તપાસ બેસાડવા સહિત પેચવર્કની કામગીરી નહીં કરવામાં આવે તો રોજ ચક્કજામ અને કચેરીઓની તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.