ભરૂચ: ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે દલિત સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ડૉ.બાબાસાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ સાથે ઇન્સાફ સહીત દલિત સંગઠનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • દલિત સંગઠનો દ્વારા કરવામાં આવી રજુઆત

  • ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની કરાય માંગ

  • ડો.બાબા સાહેબ આંબેડકર અંગે કરી હતી ટિપ્પણી

  • વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા

ડૉ.બાબાસાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ સાથે ઇન્સાફ સહીત દલિત સંગઠનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ઇન્સાફ સંગઠનના મોહન પરમાર,બેચર રાઠોડ સહિતના દલિત સંગઠનના આગેવાનો દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારતના રાષ્ટ્ર નિર્માતા, વિશ્વના જ્ઞાનના પ્રતિક એવા ડૉ.બાબાસાહેબ આંબેડકરનું સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વાંધાજનક ટિપ્પણી કરતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે બાબા સાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટીપ્પણી કરનાર ગૃહમંત્રીના રાજીનામાં સહીતની માંગણીઓ કરવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.