ભરૂચ: ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે દલિત સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ડૉ.બાબાસાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ સાથે ઇન્સાફ સહીત દલિત સંગઠનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • દલિત સંગઠનો દ્વારા કરવામાં આવી રજુઆત

  • ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની કરાય માંગ

  • ડો.બાબા સાહેબ આંબેડકર અંગે કરી હતી ટિપ્પણી

  • વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા

ડૉ.બાબાસાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ સાથે ઇન્સાફ સહીત દલિત સંગઠનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ઇન્સાફ સંગઠનના મોહન પરમાર,બેચર રાઠોડ સહિતના દલિત સંગઠનના આગેવાનો દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારતના રાષ્ટ્ર નિર્માતા, વિશ્વના જ્ઞાનના પ્રતિક એવા ડૉ.બાબાસાહેબ આંબેડકરનું સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વાંધાજનક ટિપ્પણી કરતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે બાબા સાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટીપ્પણી કરનાર ગૃહમંત્રીના રાજીનામાં સહીતની માંગણીઓ કરવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વર: દાઢલ ગામ નજીકથી પસાર થતી અમરાવતી ખાડીમાં ડૂબી જતાં મોત, થોડા સમય પૂર્વે પાણીમાંથી અંતિમ યાત્રા લઇ જવી પડી હતી

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો સમયે અચાનક તે ઊંડા પાણીમાં

New Update
cssss

અંકલેશ્વરના સાગબારા ફાટકથી દઢાલ ગામ વચ્ચે અમરાવતી ખાડીમાંથી પસાર થતા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો.તે સમયે અચાનક તે ઊંડા પાણીમાં ગરક થતા તે ડૂબી ગયો હતો.આ અંગેની જાણ ગ્રામજનો થતા તેઓએ તેની ખાડી શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે વારંવાર તંત્રમાં આ સ્થળે નાળા સાથે માર્ગ બનાવવામાં આવે તે અંગે રજુઆત કરવામાં આવી છે.સાથે ટેન્ડર પણ પાસ થઈ ગયું છે પરંતુ આગળની કામગીરી ક્યાં અટવાઈ છે.તેવો કચવાટ ગ્રામજનોમાં ચાલી રહ્યો છે.