ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે રામનવમીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય ઉત્સવ રામનવમીના પર્વની હાંસોટ તાલુકાના ગામ ખાતે અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

New Update

આજે રામનવમીના પર્વની ઉજવણી

Advertisment

ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા

હાંસોટના ઇલાવ ગામે આયોજન

હવન અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો

શોભાયાત્રામાં મોટી સંખ્યમાં ગ્રામજનો જોડાયા

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય ઉત્સવ રામનવમીના પર્વની હાંસોટ તાલુકાના ગામ ખાતે અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
Advertisment

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના પ્રાગટ્ય દિવસ એટલે કે રામનવમીની ઠેર ઠેર ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે પણ રામનવમીના પર્વની ઉજવણી કરાઈ હતગામના રામજી મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોકતવિધિ અનુસાર ભગવાન રામનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીફળ હોમવાનો અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આ બાદ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડી.જે.ના તાલે ગ્રામજનો ઝુમી ઉઠ્યા હતા સાથે જ ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.ઇલાવ ગામે પ્રતિ વર્ષ રામનવમીના પર્વની અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે.

Advertisment
Read the Next Article

ભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

New Update
  • ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં ફેલાયું પ્રદૂષણ

  • નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

  • અગાઉ પ્રદુષિત પાણીથી થયા હતા ગાય અને જળચરોના મોત

  • આ મામલે GPCB દ્વારા યોગ્ય તપાસની સ્થાનિકો દ્વારા માંગ

  • પ્રદુષિત પાણી છે કે કેમ તે અંગે કનેક્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી

Advertisment

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છેત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છેતે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છેત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફકેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતાત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકેકોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કેકેમ... તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisment