અંકલેશ્વર-ભરૂચ વચ્ચેના માર્ગ પર તંત્રએ ડિસ્કો લાઈટ લગાવી ? સ્ટ્રીટ લાઈટમાં ખામી સર્જાતા વાહનચાલકોને મુશ્કેલી

અંકલેશ્વરથી ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર 48ના માર્ગ પર તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી છે પરંતુ સમયાંતરે આ સ્ટ્રીટ લાઇટમાં ખામી સર્જાય છે.

New Update
MixCollage-11-Jun-2025-09-33-AM-984

અંકલેશ્વરથી ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર 48ના માર્ગ પર તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી છે પરંતુ સમયાંતરે આ સ્ટ્રીટ લાઇટમાં ખામી સર્જાય છે.

ત્યારે ફરી એકવાર આ સ્ટ્રીટ લાઇટ નહીં પરંતુ ડિસ્કો લાઈટ હોવાના દ્રશ્યો સામે આવ્યા છેમ સ્ટ્રીટ લાઇટમાં ખામી સર્જાતા ડાન્સિંગ લાઈટ લગાડવામાં આવી હોવાનો દ્રશ્યો જોવા મળ્યા હતા

જેના કારણે વાહન ચાલકોએ વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વર્ષ 2021ના જુલાઈ મહિનામાં નર્મદા મૈયાબ્રિજનું લોકાર્પણ થયું ત્યારથી જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ અંકલેશ્વર વચ્ચેના માર્ગ પર લગાવવામાં આવી હતી પરંતુ સમયાંતરે તેનું વ્યવસ્થિત મેન્ટેનન્સ ન કરાતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અનેક વખત આ લાઈટો બંધ હાલતમાં પણ જોવા મળે છે ત્યારે વહેલી તકે લાઇટના સમારકામની કામગીરી કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.