ભરૂચ જિલ્લો રંગાયો દેશભક્તિના રંગે,ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમોનુ આયોજન

આજરોજ દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • દેશમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

  • ઠેર ઠેર વિવિધ  કાર્યક્રમો યોજાયા

  • ભરૂચ શહેરમાં ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન

  • રાષ્ટ્રધ્વજને સલામી અપાય

  • લોકો ઉત્સાહભેર જોડાયા

આજરોજ દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
મને મારી માતૃભૂમિનું અભિમાન,આઝાદી તારા ચરણોમાં શત શત નમન, આ ઉક્તિ અનુસાર ભરૂચ જિલ્લો પણ આજે દેશભક્તિના રંગે રંગાયો હતો. ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરી તેમજ શાળા કોલેજમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને દેશની આન,બાન,શાન સમાન તિરંગાને સલામી આપવામાં આવી હતી.આ પ્રસંગે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.