ભરૂચ: ભઠિયારવાડમાં બે માળના મકાનમાં આગ લાગતા દોડધામ,ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયાર વાડમાં બે માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતીમફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

New Update
  • ભરૂચના પશ્ચિમ વિસ્તારનો બનાવ

  • ભઠીયારવાડ વિસ્તારમાં લાગી આગ

  • 2 માળના મકાનમાં આગ લાગતા દોડધામ

  • આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

  • ફાયર વિભાગે આગ ઓર કાબુ મેળવ્યો

Advertisment W3.CSS
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયાર વાડમાં બે માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતીમફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયાડ વિસ્તારમાં બે માળના મકાનમાં આગ લાગી હતી.આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગ લગતા આજુબાજુ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બનાવની જાણ કરાતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો જીએનએફસીના ફાયદા ફાયટરની પણ મદદ લેવામાં આવી હતી.લગભગ બે કલાકની જહેમત બાદ 4 ફાયર ટેન્ડરો દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ સાંકડી ગલીઓના કારણે ફાયર વિભાગને ઘટના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ હતી.
Read the Next Article

ભરૂચ: NH 48 પર વરેડિયા ચોકડી નજીક રસ્તો ઓળંગતા જૈન સાધ્વીને ટેમ્પાએ મારી ટક્કર, સેવિકાનું મોત, સાધ્વીજી ઇજાગ્રસ્ત

સેવિકાના માથા પરથી આઇસર ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને સારવાર અર્થે 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા

New Update
Palej Police
રાજસ્થાનના પાલીથી જૈન સાધ્વીજી મધુ સુધાજી વિહાર માટે નીકળ્યા હતા. આજે મળસ્કે તેઓ ભરૂચ હાઇવે પર વરેડિયા સુંદર વિહાર ધામથી નીકળી અસુરીયા જૈન વિહાર ધામે જઈ રહ્યાં હતાં. તેઓ સાથે અર્ટિગાના લઈ ડ્રાઈવર વિહારમાં સાથે હતા. વરેડિયા ચોકડી વ્હિલચેરમાં સાધ્વીજીને ક્રોસ કરાવી સેવિકા ગજરા બેન મેઘવાલ પાલેજ - ભરૂચની લેન તરફ જઈ રહ્યા હતા. ત્યારે ત્રીજી લેનમાં આવેલા આઇસર ટેમ્પા ચાલકે વ્હીલચેરને અડફેટે લઈ ફંગોળી દીધી હતી.
Advertisment W3.CSS
જેમાં સાધ્વી મહારાજજી અને સેવિકા રસ્તા પર પટકાયા હતા. સેવિકાના માથા પરથી ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા હતા. પાલેજ પોલીસ મથકે ટેમ્પા ચાલક અચ્છેલાલ યાદવ સામે ગુનો દાખલ કરાયો હતો.