ભરૂચ: ભઠિયારવાડમાં બે માળના મકાનમાં આગ લાગતા દોડધામ,ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયાર વાડમાં બે માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતીમફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

New Update
  • ભરૂચના પશ્ચિમ વિસ્તારનો બનાવ

  • ભઠીયારવાડ વિસ્તારમાં લાગી આગ

  • 2 માળના મકાનમાં આગ લાગતા દોડધામ

  • આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

  • ફાયર વિભાગે આગ ઓર કાબુ મેળવ્યો

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયાર વાડમાં બે માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતીમફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયાડ વિસ્તારમાં બે માળના મકાનમાં આગ લાગી હતી.આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગ લગતા આજુબાજુ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બનાવની જાણ કરાતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો જીએનએફસીના ફાયદા ફાયટરની પણ મદદ લેવામાં આવી હતી.લગભગ બે કલાકની જહેમત બાદ 4 ફાયર ટેન્ડરો દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ સાંકડી ગલીઓના કારણે ફાયર વિભાગને ઘટના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ હતી.
Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)