ભરૂચ : ઝઘડિયાના ડમલાઈમાં ખનીજ ચોરી પર સાંસદની આગેવાનીમાં જનતા રેડની ચીમકી ઉચ્ચારતા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી છે,જે અંગે સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો,

New Update
  • ડમલાઈ ગામમાં ખનીજ ચોરી સામે આક્રોશ

  • સાંસદ દ્વારા સોશિયલ મીડિયામાં કરાઈ હતી પોસ્ટ

  • ખનીજ ચોરીનો મામલો વધુ ગરમાયો

  • મહેશ વસાવાએ ખનીજ ચોરી સામે રોષ વ્યક્ત કર્યો

  • પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જનતા રેડની ઉચ્ચારી ચીમકી 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી છે,જે અંગે સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો,ત્યારે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ખનીજ ચોરી પર જનતા રેડ કરશે તેવી ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતના ડમલાઇ ગામે ખનીજ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં લખ્યા બાદ માહોલ ગરમાયો છે,પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અમે સાંસદ મનસુખ વસાવાને જાણ કરી હતી અને તેઓ દ્વારા આ વાતને ઉજાગર કરવામાં આવી છે.મહેશ વસાવાએ પ્રાંત અધિકારી અને ભૂસ્તર વિભાગ પર પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.વધુમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવાને સાથે રાખી આવતીકાલે સવારે 11:00 વાગે રાજપારડી ભેગા થઈ અમે ડમલાઇ ગામે જઈશું અને ખનીજ ચોરી થાય છે તે સ્થળ પર જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.