ભરૂચ: જંબુસરમાં હિન્દુ સંગઠનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન, આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં આંતકવાદીઓએ કરેલ હુમલામાં 27 જેટલા પર્યટકોના મોત નીપજતા સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે

New Update
  • ભરૂચના જંબુસરમાં યોજાયો કાર્યક્રમ

  • આતંકી હુમલાનો કરાયો વિરોધ

  • કેન્ડલ માર્ચ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય

  • આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ

  • ભાજપના આગેવાનો પણ જોડાયા

જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં ભરૂચના જંબુસર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા કેન્ડલ માર્ચ સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં આંતકવાદીઓએ કરેલ હુમલામાં 27 જેટલા પર્યટકોના મોત નીપજતા સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ હતી.આંતકવાદીના હુમલામાં મૃત્યુ પામેલ પર્યટકોને શ્રદ્ધા સુમન અર્પણ કરવા ભરૂચના જંબુસરમાં સમસ્ત કાછિયા પટેલ ગણેશ મંડળો સહિત હિન્દુ સંગઠનો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ભાજપના મહિલા આગેવાન કૃપા દોશી, શહેર પ્રમુખ મનન પટેલ, નગરપાલિકા સભ્યોએ ટંકારી ભાગોળ નજીક  એકત્ર થઈ બે મિનિટ મૌન પાડી કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હીચકારું કૃત્ય કરનાર આતંકવાદીઓ અને તેને પાળનાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે.
Latest Stories
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.
Latest Stories