ભરૂચ: હાંસોટ 108ના કર્મચારીઓની પ્રામાણિકતા, અકસ્માતમાં ઘવાયેલ વૃદ્ધના રૂ.1.5 લાખ પરિવારજનોને પરત કર્યા !

હાંસોટ 108ના લોક્શન પર ફરજ બજાવતા EMT - શર્મિલા બેન વસાવા  અને PILOT - સોમાભાઈ વાઘડિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં જાણવા મળ્યું હતું

New Update
IMG-20250819-WA0115

ભરૂચના હાંસોટની 108 એમ્બ્યુલન્સની ટીમને અંકલેશ્વર હાંસોટ રોડ પર માટીયેડ ગામ પાસે રોડ અકસ્માતનો કેસ મળ્યો હતો.

જેમાં હાંસોટ 108ના લોક્શન પર ફરજ બજાવતા EMT - શર્મિલા બેન વસાવા  અને PILOT - સોમાભાઈ વાઘડિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં જાણવા મળ્યું હતું કે  રસ્તો ક્રોસ કરતા એક વૃદ્ધને  અજાણ્યા બાઈક સવારે ટક્કર મારી અકસ્માત સર્જયો હતો જેમાં 56 વર્ષના વૃદ્વ ઘવાયા અને અર્ધબેભાન હાલતમાં હતા. શર્મિલાબેને તેમને જરૂરી પ્રાથમિક સારવાર આપી ઝડપથી દર્દીને એમબ્યુલન્સમા હોસ્પિટલ પહોંચાડયા હતા.આ દરમ્યાન એમની પાસે આશરે રોકડ રકમ 1.5 લાખ રૂપિયા હતા જે ફરજ પરના ઈએમટી અને પાયલોટ દ્વારા હોસ્પિટલના સ્ટાફની હાજરી માં વૃદ્વ ના સગાને પરત કરવામાં આવી હતી  અને પ્રમાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું
Latest Stories