ભરૂચ : મનસુખ વસાવાએ જ ભાજપના મોવડી મંડળ સામે બાય ચઢાવી, ઝઘડિયા તાલુકા ભાજપના પ્રમુખની વરણી સામે વિરોધ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ  જિલ્લાના 12 મંડળોના પ્રમુખની વરણીને આવકારી છે જ્યારે ઝઘડિયા તાલુકા પ્રમુખ તરીકે સંદીપ પટેલની નિયુક્તિનો સખત વિરોધ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી અકળાયા

  • ભાજપના જ મોવડી મંડળ સામે વિરોધ

  • ઝઘડિયા તાલુકા ભાજપના પ્રમુખની વરણીનો વિરોધ

  • સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી વિરોધ નોંધાવ્યો

  • ભરૂચના રાજકારણમાં નવાજુનીના એંધાણ

Advertisment
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ  જિલ્લાના 12 મંડળોના પ્રમુખની વરણીને આવકારી છે જ્યારે ઝઘડિયા તાલુકા પ્રમુખ તરીકે સંદીપ પટેલની નિયુક્તિનો સખત વિરોધ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ લોકસભા મતવિસ્તારમાં બધા જ તાલુકા, શહેર એકમોમાં સંગઠનનાં પ્રમુખોની જે વરણી થઈ એ તમામને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આવકારી છે. જોકે ઝઘડિયા તાલુકામાં સંદીપ પટેલની પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે જેનો સાંસદે પોતાના સોશિયલ મીડિયા પર સખત વિરોધ કર્યો છે.સાંસદ મનસુખ વસાવાએ પોસ્ટ કરી છે કે, સંદીપભાઈ પટેલે તાલુકામાં ક્યારે ભાજપનું કામ કર્યું નથી. તે તેમના ગામ પૂરતા જ સીમિત છે. તાલુકા અને જીલ્લા સંગઠનમાં જે વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છે તેઓની અવગણના થઈ છે.સંદીપ પટેલનું પાર્ટીમાં યોગદાન નથી અને લોકસભામાં પણ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોવાનું સાંસદે આક્ષેપ કર્યો છે.
વધુમાં ફૂલવાડી ગામે તેમના કાર્યક્રમને પણ નિષ્ફળ બનાવવા તનતોડ મહેનત કરી હોવાનો રોષ ઠાલવ્યો છે. સેવસેતુ કે અન્ય કોઈ પણ સાંસદના કાર્યક્રમમાં સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા નથી. તે માત્ર ધંધાકીય વ્યક્તિઓ સાથે જોડાયેલા અને આ ધંધાકીય હિત ધરાવનારાઓએ પ્રદેશને ગેરમાર્ગે દોરી પ્રમુખ બનાવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ખરેખર તો ઝઘડિયા આદિવાસી બાહુલ્ય તાલુકામાં આદિવાસી ઉપરાંત પટેલ અને રાજપૂત આ ત્રણ સમાજનું પ્રભુત્વ છે. અને તેઓ વર્ષોથી ભાજપને સમર્થન કરી રહ્યા છે. ત્યારે આ ત્રણ સમાજમાંથી એક સમાજના વ્યક્તિને પ્રમુખ બનાવવાની હિમાયત કરી છે.
Advertisment
જ્યારે વર્તમાન પ્રમુખ સંદીપ પટેલએ પટેલ જ્ઞાતિના નહિ હોવાનો પણ ખેદ વ્યક્ત કર્યો છે. અંતમાં મનસુખ વસાવાએ લખ્યું છે કે, સંદીપભાઈએ તેમનો વિરોધ કરી લોકસભામાં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું હોય  જેને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ તરફ નવ નિયુક્ત પ્રમુખ સંદીપ પટેલના ગુનાઇત ભૂતકાળનો પણ મનસુખ વસાવાના ટેકેદારો હવાલો આપી રહ્યા છે ત્યારે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીના જ સાંસદે પ્રમુખની વરણીને લઇ સવાલ ઉઠાવતા આવનારા સમયમાં નવાજૂનીના એંધાણની શક્યતા વર્તાય રહી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment