ભરૂચ: દહેજ GFL કંપનીની સાંસદ,ધારાસભ્યએ લીધી મુલાકાત,મૃતકના પરિવારને વધુ 10 લાખની કરાય સહાય

ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની ગુજરાત ફલોરોકેમિકલ્સ લી. કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારો ઝેરી ગેસની અસરથી કરૂણ મોતને ભેટ્યા હતા,

New Update
  • દહેજની GFLમાં સર્જાઈ હતી દુર્ઘટના 

  • ઝેરી ગેસની અસરથી ચાર કામદારો મોતને ભેટ્યા હતા

  • સાંસદ અને ધારાસભ્યએ કંપનીની લીધી મુલાકાત 

  • યોગ્ય તપાસ કરવા અંગે તંત્રને આપી સૂચના 

  • મૃતકોના પરિવારને વધુ 10 લાખની સહાય ચૂકવાઇ

Advertisment W3.CSS

ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની GFL કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં ચાર કામદારોના કરૂણ મોત નિપજ્યા હતા,ઘટના અંગેનો ચિતાર મેળવવા માટે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા કંપનીની મુલાકાત કરવામાં આવી હતી,તેમજ મૃતક કામદારોના પરિવારને વધુ 10 લાખની આર્થિક સહાય ચુકવવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની ગુજરાત ફલોરોકેમિકલ્સ લી. કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારો ઝેરી ગેસની અસરથી કરૂણ મોતને ભેટ્યા હતા,જ્યારે બે કામદારો સારવાર હેઠળ છે.ઘટના અંગેનો ચિતાર મેળવવા માટે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા કંપનીની મુલાકાત કરવામાં આવી હતી.

અને ઘટના કેવી રીતે સર્જાઈ સહિતની માહિતી મેળવવામાં આવી હતી.તેમજ તેઓએ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેઠળ સહિતના વિભાગોને પણ યોગ્ય તપાસ કરવા માટે સૂચનાઓ આપી હતી,તેમજ મૃતક કામદારોના પરિવારજનોને વધુ 10 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.