ભરૂચ: દહેજ GFL કંપનીની સાંસદ,ધારાસભ્યએ લીધી મુલાકાત,મૃતકના પરિવારને વધુ 10 લાખની કરાય સહાય

ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની ગુજરાત ફલોરોકેમિકલ્સ લી. કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારો ઝેરી ગેસની અસરથી કરૂણ મોતને ભેટ્યા હતા,

New Update
  • દહેજનીGFLમાંસર્જાઈ હતી દુર્ઘટના

  • ઝેરી ગેસની અસરથી ચાર કામદારો મોતનેભેટ્યા હતા

  • સાંસદ અને ધારાસભ્યએકંપનીનીલીધી મુલાકાત

  • યોગ્ય તપાસ કરવા અંગે તંત્રને આપી સૂચના

  • મૃતકોના પરિવારને વધુ10 લાખની સહાય ચૂકવાઇ

ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની GFL કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાંચારકામદારોના કરૂણ મોત નિપજ્યા હતા,ઘટના અંગેનોચિતાર મેળવવા માટે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા કંપનીનીમુલાકાત કરવામાં આવી હતી,તેમજ મૃતક કામદારોના પરિવારને વધુ 10 લાખની આર્થિક સહાય ચુકવવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતનીગુજરાત ફલોરોકેમિકલ્સલી. કંપનીમાં ગેસ ગળતર થતાચાર કામદારો ઝેરી ગેસની અસરથી કરૂણ મોતનેભેટ્યા હતા,જ્યારે બે કામદારો સારવાર હેઠળ છે.ઘટના અંગેનોચિતાર મેળવવા માટે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા કંપનીનીમુલાકાત કરવામાં આવી હતી.

અને ઘટના કેવી રીતે સર્જાઈ સહિતની માહિતી મેળવવામાં આવી હતી.તેમજ તેઓએ ઇન્ડસ્ટ્રીયલ સેફટીએન્ડ હેઠળ સહિતના વિભાગોનેપણ યોગ્ય તપાસ કરવા માટે સૂચનાઓ આપી હતી,તેમજ મૃતક કામદારોના પરિવારજનોને વધુ 10 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.