ભરૂચ : ઓફિસમાં નહીં બેસી અસરગ્રસ્ત પાણેથા-ઇન્દોરમાં સર્વે કરવા ખેતીવાડી અધિકારીઓને સાંસદનું સૂચન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સહીત જિલ્લાભરમાં ઠેર ઠેર વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બનવા ઉપરાંત વિવિધ ખેતીના પાકોને પણ મોટું નુકશાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે,

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા અને ઇન્દોર ગામમાં ભારે વરસાદથી ખેતીને થયેલા નુકશાનીનો તાગ મેળવવવા સાંસદ મનસુખ વસાવાએ સ્થળ મુલાકાત કરી ખેતીવાડી અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી સર્વે કરવા કડક શબ્દોમાં સૂચના આપી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સહીત જિલ્લાભરમાં ઠેર ઠેર વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બનવા ઉપરાંત વિવિધ ખેતીના પાકોને પણ મોટું નુકશાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છેત્યારે વિતેલા કલાકો દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારો સાથે ઝઘડિયા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેળ સહિતના અન્ય પાકોનું ધોવાણ થતાં ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે ફુંકાયેલ વાવાઝોડામાં પણ તાલુકાના ખેડૂતોએ ઉગાડેલ કેળનો પરિપક્વ પાક જમીનદોસ્ત થઇ ગયો હતો. હાલમાં વરસેલા અવિરત વરસાદથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં કેળનો પાક જમીનદોસ્ત થઇ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

આમ તોઝઘડીયા તાલુકામાં કેળ અને શેરડીના પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છેત્યારે ભારે વરસાદથી ખેતીને થયેલા નુકશાનીનો તાગ મેળવવવા સાંસદ મનસુખ વસાવાએ સ્થળ મુલાકાત કરી હતી. એટલું જ નહીંસ્થળ પરથી જ સાંસદ મનસુખ વસાવાએ ખેતીવાડી અધિકારીઓનો ઉધડો લીધો હતોઅને આવા સમયે ઓફિસમાં નહીં બેસી બહાર નીકળી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી સર્વે કરવાની કામગીરી માટે કડક શબ્દોમાં સૂચના આપી હતી. આ ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ નુકશાની સામે વધુ સહાય ચૂકવાય તે માટે સરકારમાં રજૂઆત કરવાની પણ ખેડૂતોને હૈયાધારણ આપી હતી.

Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)