ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ,બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ

નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો

New Update
  • ભરૂચમાં નર્મદા નદી પર આવ્યો છે નર્મદા મૈયા બ્રિજ

  • બ્રિજ પરથી આત્મહત્યા કરવાના બનાવમાં વધારો

  • અનેક લોકોએ નદીમાં પડતુ મૂકી જીવન ટૂંકાવ્યુ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની કરાય માંગ

  • સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી

Advertisment W3.CSS
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી છે. ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકર યોગી પટેલે આ બાબતે જણાવ્યું હતું કે  નર્મદા મૈયા બ્રિજ 12 જુલાઇ 2021 થી પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારથી જ સમયાંતરે આત્મહત્યા અને અકસ્માતના બનાવો વધ્યા છે.
ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. તેઓ જણાવ્યું હતું કે આ અંગે અગાઉ પણ કલેકટર અને માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર પાઠવી જાળી લગાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ કામગીરી ન થતાં હજુ પણ આત્મહત્યાના બનાવો યથાવત છે ત્યારે વહેલી તકે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.