ભરૂચ: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતના નિવેદન અંગે સગર સમાજમાં આક્રોશ, ગંગા માતા અંગે આપ્યું હતું નિવેદન

સમસ્ત સગર સમાજ ભરુચ દ્વારા ગંગા મૈયાની પવિત્રતા અંગે ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્ત સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલકેટરને આવેદનપત્ર પાઠવાયું હતું

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • સગર સમાજ દ્વારા કરાય રજુઆત

  • સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા અપાયું હતું નિવેદન

  • માતા ગંગા અંગે કરાય હતી ટિપ્પણી

  • કાયદેસરની કાર્યવાહી કરવા માંગ

સમસ્ત સગર સમાજ ભરુચ દ્વારા ગંગા મૈયાની પવિત્રતા અંગે ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્ત સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલકેટરને આવેદનપત્ર પાઠવાયું હતું

ભરૂચ જિલ્લા કલકેટર કચેરી ખાતે સમસ્ત સગર સમાજ ભરુચ દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે ગંગા મૈયાને પવિત્રતા આપનાર તેમના ગુરુ છે એવું નિવેદન આપ્યું હતી. જે સંપૂર્ણપણે અસત્ય છે. ઈતિહાસ સાક્ષી છે કે સગર રાજા ભગીરથની હજારો વર્ષોની કઠોર તપસ્યાના પરિણામે ગંગા મૈયા પૃથ્વી પર અવતરિત થયા હતા અને સદીઓથી ગંગા મૈયા ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પવિત્રતાનું પ્રતિક છે.આવા ખોટા નિવેદનો માત્ર ઇતિહાસનો અપમાન નથી પણ  સનાતન સંસ્કૃતિ અને પૂર્વજોના મહાન કાર્યનું અવમૂલ્યન છે જેથી આ ખોટા નિવેદન આપનાર હરિભક્ત વિરુદ્ધ તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને હરિભક્તે પોતાના ખોટા શબ્દો માટે જાહેર રિતે સગર સમાજની માફી માંગવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર : NH 48 પર સતત ચોથા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

New Update
Screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.