ભરૂચ: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતના નિવેદન અંગે સગર સમાજમાં આક્રોશ, ગંગા માતા અંગે આપ્યું હતું નિવેદન

સમસ્ત સગર સમાજ ભરુચ દ્વારા ગંગા મૈયાની પવિત્રતા અંગે ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્ત સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલકેટરને આવેદનપત્ર પાઠવાયું હતું

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • સગર સમાજ દ્વારા કરાય રજુઆત

  • સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા અપાયું હતું નિવેદન

  • માતા ગંગા અંગે કરાય હતી ટિપ્પણી

  • કાયદેસરની કાર્યવાહી કરવા માંગ

Advertisment W3.CSS

સમસ્ત સગર સમાજ ભરુચ દ્વારા ગંગા મૈયાની પવિત્રતા અંગે ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્ત સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલકેટરને આવેદનપત્ર પાઠવાયું હતું

ભરૂચ જિલ્લા કલકેટર કચેરી ખાતે સમસ્ત સગર સમાજ ભરુચ દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે ગંગા મૈયાને પવિત્રતા આપનાર તેમના ગુરુ છે એવું નિવેદન આપ્યું હતી. જે સંપૂર્ણપણે અસત્ય છે. ઈતિહાસ સાક્ષી છે કે સગર રાજા ભગીરથની હજારો વર્ષોની કઠોર તપસ્યાના પરિણામે ગંગા મૈયા પૃથ્વી પર અવતરિત થયા હતા અને સદીઓથી ગંગા મૈયા ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પવિત્રતાનું પ્રતિક છે.આવા ખોટા નિવેદનો માત્ર ઇતિહાસનો અપમાન નથી પણ  સનાતન સંસ્કૃતિ અને પૂર્વજોના મહાન કાર્યનું અવમૂલ્યન છે જેથી આ ખોટા નિવેદન આપનાર હરિભક્ત વિરુદ્ધ તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને હરિભક્તે પોતાના ખોટા શબ્દો માટે જાહેર રિતે સગર સમાજની માફી માંગવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.