ભરૂચ: સરનાર ગામના આદિવાસી સમાજના લોકોએ પાકા મકાનની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચ તાલુકાના સરનાર ગામે વસતા આદિવાસી સમાજના લોકોને રહેવા માટે   સરકારી પ્લોટ તથા પાકા મકાન જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું

New Update

ભરૂચ તાલુકાના સરનાર ગામે વસતા આદિવાસી સમાજના લોકોને રહેવા માટે   સરકારી પ્લોટ તથા પાકા મકાન જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું

ભરૂચ તાલુકાના સરનાર ગામ ખાતે રહેતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમા જણાવ્યા અનુસાર 
સરનાર ગામે આદિવાસીઓ સંયુક્ત કુટુંબમાં કાચા મકાન અને ઝૂંપડામાં રહે છે આથી તેઓને અગવડતા પડે છે.આથી સરકારમાંથી આદિવાસીઓના પુનરૂત્થાન માટે સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટો તથા સદર પ્લોટમાં બાંધકામ કરવા અંગે વિવિધ યોજનાઓ કાર્યરત છે ત્યારે સરકારમાં યોગ્ય રજૂઆત કરી અમોને અમારા પરિવાર સાથે રહેવા અંગે સરકારી જમીન ફાળવી અને તેના પર મકાનનું નિર્માણ કરી સહાય આપવાની માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.