ભરૂચ: સરનાર ગામના આદિવાસી સમાજના લોકોએ પાકા મકાનની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચ તાલુકાના સરનાર ગામે વસતા આદિવાસી સમાજના લોકોને રહેવા માટે   સરકારી પ્લોટ તથા પાકા મકાન જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું

New Update

ભરૂચ તાલુકાના સરનાર ગામે વસતા આદિવાસી સમાજના લોકોને રહેવા માટે   સરકારી પ્લોટ તથા પાકા મકાન જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું

Advertisment
ભરૂચ તાલુકાના સરનાર ગામ ખાતે રહેતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમા જણાવ્યા અનુસાર 
સરનાર ગામે આદિવાસીઓ સંયુક્ત કુટુંબમાં કાચા મકાન અને ઝૂંપડામાં રહે છે આથી તેઓને અગવડતા પડે છે.આથી સરકારમાંથી આદિવાસીઓના પુનરૂત્થાન માટે સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટો તથા સદર પ્લોટમાં બાંધકામ કરવા અંગે વિવિધ યોજનાઓ કાર્યરત છે ત્યારે સરકારમાં યોગ્ય રજૂઆત કરી અમોને અમારા પરિવાર સાથે રહેવા અંગે સરકારી જમીન ફાળવી અને તેના પર મકાનનું નિર્માણ કરી સહાય આપવાની માંગ કરવામાં આવી છે
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment