ભરૂચ: પોલીસે 100થી વધુ શંકાસ્પદ લોકોનું સરઘસ કાઢ્યું, 29 બાંગ્લાદેશી ઝડપાયા

ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 1000થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરાઈ હતી.

New Update

ભરૂચ પોલીસની મોટી કાર્યવાહી

Advertisment

29 બાંગ્લાદેશીઓ ઝડપી પાડ્યા

પોલીસે 1 હજાર લોકોની કરી પૂછતાછ

પોલીસની 50 ટીમ કામે લાગી

ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ ડિપોર્ટ કરાશે

ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 1000થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરાઈ હતી.
Advertisment
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં એલર્ટ છે ત્યારે ગુજરાતમાં પણ પોલીસ સતર્ક બની છે. ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી ભરૂચ પોલીસની 50થી વધુ ટીમો દ્વારા બે દિવસમાં 1,000 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી જે પૈકી 29 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા જેઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે ભરોસે બી ડિવિઝન પોલીસ મદદથી 100 થી વધુ શંકાસ્પદ લોકોનું સરઘસ કાઢયું હતું અને તેઓને ભરૂચ એસ.પી.ઓફિસ લઈ જવામાં આવ્યા હતા.
આ અંગે ભરૂચના વિભાગીય પોલીસવડા સી કે પટેલે જણાવ્યું હતું કે દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓની ઓળખ કરી તેઓને ડિપોર્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે.
Advertisment
Latest Stories