ભરૂચ: ન.પા.દ્વારા પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ શરૂ કરવાની હિલચાલનો વિરોધ,સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ શરૂ કરવાની હિલચાલ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

New Update
  • ભરૂચના પશ્ચિમ વિસ્તારના રહીશોનો વિરોધ

  • નગરપાલિકાની ડમ્પિંગ સાઈટનો વિરોધ કરાયો

  • કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • બે દિવસ પહેલા સ્થાનિકોએ સ્થળ પરથી અધિકારીઓને ભગાવ્યા હતા

  • માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી

ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ શરૂ કરવાની હિલચાલ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે.થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઈડ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઈટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા બે દિવસ પહેલા ઉગ્ર વિરોધ નોંધાવી ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને કર્મચારીઓને ઘેરી વળ્યા હતા ત્યારે તેમને સ્થળ પરથી નાસી જવાનો વારો આવ્યો હતો.આ અંગે સ્થાનિકો દ્વારા આજરોજ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ડમ્પિંગ સાઇટ બાબતે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રહેણાંક વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ ન શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે આજુબાજુની 20થી 25 સોસાયટીના રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે નગર પાલિકા દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે. જો નગરપાલિકા આ કામગીરી બંધ નહિ કરે તો આવનાર સમયમાં ઉગ્ર  વિરોધની ચીમકી ઉચ્ચારવામા આવી છે
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.