ભરૂચ: બિસ્માર માર્ગોથી ત્રાસેલા સ્થનિકોનું ન.પા.કચેરી પર હલ્લાબોલ..!

ભરૂચ શહેરમાં બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનોએ આજરોજ નગર સેવાસદનની કચેરી પર હલ્લાબોલ કર્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરી હતી

New Update

ભરૂચ શહેરમાં બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનોએ આજરોજ નગર સેવાસદનની કચેરી પર હલ્લાબોલ કર્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરી હતી

ભરૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવેલ માર્ગો અતિ બિસ્માર બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ સ્થાનિકો અને આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે પહોંચી નગરપાલિકા કચેરી પર હલ્લાબોલ કરવામાં આવ્યું હતું.આગેવાનો અને સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલને ઉગ્ર રજૂઆત કરી હતી અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી. સ્થાનિકોના આક્ષેપ અનુસાર ભરૂચના ઢાલથી મહમદપુરા સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે ત્યારે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે અને જો માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં આંદોલનની ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

આ તરફ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે નગરપાલિકા માર્ગના સમારકામની કામગીરી કરી રહી છે પરંતુ નિરંતર વરસાદના કારણે આ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે જોકે આજથી વરસાદે વિરામ લેતા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાશે
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.