ભરૂચ: ઝાડેશ્વર ચોકડી નજીક ટ્રાફિકજામના દ્રશ્યો, અનેક વાહનચાલકો અટવાયા

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા છે. ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક વાહનોની લાંબી કતાર લાગતા અનેક વાહન ચાલકો અટવાયા

New Update
vlcsnap-2025-04-23-10h30m03s585

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા છે.

 ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક વાહનોની લાંબી કતાર લાગતા અનેક વાહન ચાલકો અટવાયા હતા સવારના સમયે દહેજની ખાનગી કંપનીમાં કર્મચારીઓને લઈને જતી બસના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

આ તરફ સવારે સ્કૂલે જવાના સમયે ટ્રાફિકજામ સર્જાતા અનેક સ્કૂલ વેનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતોમ અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિકજામની પરિસ્થિતિના નિવારણ માટે ખાનગી કંપનીમાં કર્મચારીઓને લઈને જતી બસના ચાલકોને નિર્ધારિત સ્થળે જ બસ ઉભી રાખવા જાહેરનામું બહાર પાડી સૂચના આપવામાં આવી છે આમ છતાં કેટલીક બસના ચાલકો આડેધડ બસ ઉભી રાખી દે છે જેના કારણે વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.