ભરૂચ: શુકલતીર્થ ખાતે નર્મદા નદીમાં ત્રણ લોકો ડૂબવાના મામલામાં SITનો રિપોર્ટ ક્ષતિગ્રસ્ત હોવાના આક્ષેપ, કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

શુકલતીર્થ ખાતે ત્રણ લોકો ડૂબી જવાના મામલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ સમક્ષના કેસમાં ક્ષતિ અને અધૂરો હોવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

New Update
  • ભરૂચના શુકલતીર્થ ખાતે બન્યો હતો બનાવ

  • નર્મદા નદીમાં ડૂબી જતા 3 લોકોના નિપજ્યા હતા મોત

  • રેતી ખનન માટે ખોદવામાં આવેલ ખાડામાં 3 લોકો ડૂબી ગયા

  • સીટ દ્વારા બનાવ અંગે તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ ક્ષતિગ્રસ્ત હોવાના આક્ષેપ

  • પરિવારજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

સમસ્ત ખારવા હંસોટી માછી-સમાજ ભરૂચ દ્વારા શુકલતીર્થ ખાતે ત્રણ લોકો ડૂબી જવાના મામલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ સમક્ષના કેસમાં ક્ષતિ અને અધૂરો હોવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત ખારવા હંસોટી માછી-સમાજ ભરૂચ દ્વારા એક આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના શુકલતીર્થ ગામે નર્મદા નદીના પટમાં ગત તારીખ- ૧૫/૧૧/૨૦૨૪ના રોજ ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિથી રેતી કાઢેલા ઊંડા ખાડામાં પડી જતા ત્રણ લોકો ડૂબી ગયા હતા.
આ બનાવ સંબંધી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃતિ કરનાર જવાબદારો સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાના આક્ષેપ કરવા સાથે  મૃતકના પરિવારને યોગ્ય વળતરની ચુકવણી કરવામાં આવી નથી તેમજ પોલીસ તંત્ર દ્વારા BNS મુજબની કલમ હેઠળ FIR દાખલ કરવામાં આવી નહીં હોવાના આક્ષેપ સાથે  પરિવારના સભ્યોએ અને સામાજીક કાર્યકર્તાઓએ ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ છે.જેને લઈ આયોગ તરફથી ૪-સભ્યોની SITની રચના કરીને તપાસનો અહેવાલ રજૂ કરવા માટે ભરૂચ કલેક્ટરને ગત તારીખ-૧૨/૦૫/૨૦૨૫ના રોજ હુકમ કર્યો હતો.
પરંતુ SIT તરફથી ભરૂચ ક્લેક્ટર સમક્ષ ક્ષતિવાળો અને પુરી તપાસ કર્યા વિનો અધુરો રીપોર્ટ રજૂ કર્યો હોય તે અધુરો અને ક્ષતિવાળો ખોટો રીપોર્ટ કલેક્ટર ભરૂચ તરફથી આયોગમાં રજૂ કર્યો હોવાથી મૃત્યુ પામેલ ૩-વ્યક્તિઓના પરિવારોને મોટો અન્યાય થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.SIT તરફથી નવેસરથી પુરી તપાસ કરવામાં આવે અને નવેસરથી રીપોર્ટ તૈયાર કરવામાં આવે તે માટે માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.