ભરૂચ: પોલીસને જોઈ ભાગવા જતા બુટલેગરની કારને નડ્યો અકસ્માત,કારમાંથી મળ્યો લાખોનો વિદેશી દારૂ

ભરૂચની સાયખા જીઆઇડીસી નજીક વિદેશી દારૂ ભરેલ કાર પલટી જતા અંદરથી રૂ.1.29 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસને જોઈ ભાગવા જતા બુટલેગરની કારને અકસ્માત નડ્યો હતો

New Update

ભરૂચની વાગરા પોલીસની કાર્યવાહી

બુટલેગરની કારનો કર્યો પીછો 

કારને અકસ્માત નડતા પલટી ગઈ

અંદરથી મળ્યો રૂ.1.29 લાખનો દારૂ

બુટલેગરની પોલીસે કરી ધરપકડ

ભરૂચની સાયખા જીઆઇડીસી નજીક વિદેશી દારૂ ભરેલ કાર પલટી જતા અંદરથી રૂ.1.29 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસને જોઈ ભાગવા જતા બુટલેગરની કારને અકસ્માત નડ્યો હતો
ભરૂચની વાગરા પોલીસની ટીમ સાયખા GIDCમાં રાત્રીના પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ગ્લોબેલા ચોકડી તરફથી કાર આવતા તેના ચાલકને ગાડી ઉભી રાખવા જણાવ્યું હતું તેમ છતા કાર ચાલકે કાર ઉભી નહિ રાખી પુરઝડપે ભેરસમ ગામ તરફ ભગાવી ગયો હતો જેથી પોલીસને શંકા જતાં ખાનગી ગાડીમાં ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો હતો.આ સમયે ભેરસમ ગામની નવી વસાહત પાસે આવેલા રોડના વળાંક પાસે કાર પલ્ટી મારી જતા રોડની બાજુના ખેતરમા ઉંધી પડી ગઈ હતી. કાર પલ્ટી જતા અંદર ભરેલ વિદેશી દારૂના જથ્થાની માર્ગ પર રેલમછેલ થઈ હતી.પોલીસે કારમાં સવાર આમોદના આછોદ ગામના બુટલેગર મહંમદ સુહેલ ઉર્ફે છોટુ હારુન પટેલની અટકાયત કરી હતી અને રૂ.1.29 લાખના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ.12.4 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.