ભરૂચ: વાલિયાના મેરા-જોલી ગામને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં, ગ્રામજનોને હાલાકી

ભરૂચના વાલિયા તાલુકાના મેરા-જોલી ગામના માર્ગ અતિ બિસ્માર બનતા વરસાદી સીઝનમાં ગ્રામજનોએ વાહનો લઈ ઘૂંટણ સમાં પાણી પસાર થવાનો વારો આવે છે

New Update
  • ભરૂચના વાલિયામાં માર્ગોની બિસ્માર હાલત

  • મેરા જોલી ગામને જોડતો માર્ગ ખખડધજ

  • ગ્રામજનોને ભારે હાલાકી

  • વરસાદના સમયે ઘૂંટણસમા પાણી ભરાય છે

  • માર્ગના સમારકામની માંગ

ભરૂચના વાલિયા તાલુકાના મેરા-જોલી ગામના માર્ગ અતિ બિસ્માર બનતા વરસાદી સીઝનમાં ગ્રામજનોએ વાહનો લઈ ઘૂંટણ સમાં પાણી પસાર થવાનો વારો આવે છે
વિકાસની વાતો વાતો વચ્ચે આજે પણ કેટલાક ગામડાઓમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ભરૂચના વાલિયા તાલુકાના જોલી ગામના ગ્રામજનો પોતાના વાહનો લઈ જીવના જોખમે બિસ્માર માર્ગ ઉપરથી પસાર થવા મજબુર બન્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે ત્યારે થોડા દિવસો પહેલા  મેરા-જોલી ગામને જોડતા માર્ગ ઉપર ઘૂંટણ અને કમર સમાં પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યાં હતા.જે પાણીમાંથી ગ્રામજનો જીવના જોખમે પસાર થયા હોવાનો યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવાએ આક્ષેપ કર્યા હતા અને વાલિયા તાલુકાના છેવાડાના જોલી ગામમાં માર્ગ સહિતની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. ગ્રામજનોએ સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ અને તંત્ર યોગ્ય પગલાં ભરી વહેલી તકે સગવડ પુરી પાડે તેવી માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ : પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું મહોત્સવનો પ્રારંભ, IG સંદીપ સિંહે કર્યું પૂજન અર્ચન

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના

New Update

નવ નવેલી રાતનો આજથી પ્રારંભ

ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન

પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો

પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના હસ્તે પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેરમાં જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ સુરક્ષા ને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.