ભરૂચ: શહેરને ટ્રાફિકજામના ખપ્પરમાં હોમાતુ બચાવવા આખરે તંત્ર જાગ્યુ, જુઓ શુ લેવાયા 2 મહત્વપૂર્ણ નિર્ણય

ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તો કંપનીની ખાનગી લક્ઝરી બસ માટે 7 જેટલા પીકપ અને ડ્રોપ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા

New Update
  • ભરૂચમાં ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિ

  • ટ્રાફિકજામની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા કવાયત

  • તંત્ર દ્વારા 2 જાહેરનામા બહાર પડાયા

  • નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનો નહિ કરી શકે અવરજવર

  • ખાનગી લકઝરી બસ માટે 7 પીકઅપ પોઇન્ટ ઉભા કરાયા 

ભરૂચ શહેરમાં વકરી રહેલી ટ્રાફિકજામની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા બે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જે મુજબ ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તો કંપનીની ખાનગી લક્ઝરી બસ માટે 7 જેટલા પીકપ અને ડ્રોપ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે

ઔદ્યોગિક રીતે વિકાસ પામી રહેલા ભરૂચમાં ટ્રાફિક જામનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે.ખાસ કરીને ભરૂચ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકજામની પરિસ્થિતિ વકરી રહી છેનેશનલ એક્સપ્રેસ વેનો એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ પણ ભરૂચ શહેર નજીક હોવાના કારણે અનેક વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થાય છે.આ તરફ દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતના કારણે મોટા ભારદારી વાહનો પણ શહેરને અડીને આવેલા માર્ગો પરથી પસાર થાય છે જેના કારણે વારંવાર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે..

હાલ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ પણ ચાલી રહી છે ત્યારે પરીક્ષાર્થીઓ ટ્રાફિક જામમા ન અટવાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ પહેલી માર્ચથી ભરુચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી માલધારી ભારે વાહનોના પ્રવેશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

સવારે 5:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થઈ શકશે નહીં જોકે ખાનગી બસ અને એસટી બસને આ જાહેરનામા માંથી મુક્તિ આપવામાં આવી છે. નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધીનો માર્ગ બંધ હોવાના કારણે ભારદારી વાહનોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.આ જાહેરનામું તારીખ 17 માર્ચ સુધી અમલમાં રહેશે. 

આ તરફ તંત્ર દ્વારા બીજું પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા કર્મચારીઓને લેવા અને મુકવા જતી ખાનગી બસના ચાલકો માર્ગ પર ગમે તે સ્થળે બસ ઊભી કરી દેતા હોય છે જેના કારણે પણ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે પોલીસ દ્વારા સાત જેટલા પીકઅપ અને ડ્રોપ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે.
જેમાં (૧) દહેગામ બાયપાસ પાસે બન્ને સાઇડ(૨) જંબુસર બાયપાસ બ્રીજ નીચે(૩) મનુબર ચોકડી પાસે બન્ને સાઇડ(૪) મઢુલી સર્કલ પાસે બન્ને સાઇડ(૫) એ.બી.સી. સર્કલ પાસે બન્ને સાઇડ(૬) ઉમીયા અન્નપૂર્ણા હોટલ (ઝાડેશ્વર ચોકડી) પાસે ઉતરવા માટે(૭) સ્વામિનારાયણ મંદિર (ઝાડેશ્વર ચોકડી) પાસે ચઢવા માટેનો સમાવેશ થાય છે.વાહન ચાલકો આ સ્થળે જ તેમની બસ ઉભી રાખી શકશે આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં ભરવામાં આવશે.
Read the Next Article

અંકલેશ્વર: તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પીલુદ્રા ગામે વરસતા વરસાદ વચ્ચે કરી RCC રોડની કામગીરી

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી

New Update
Screenshot_2025-07-30-07-26-48-21_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભાગ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વિડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે.પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે