ભરૂચ : સીટી સેન્ટર ખાતેથી વૃદ્ધાના પર્સની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી મહિલાની ધરપકડ

ભરૂચ સીટી સેન્ટર એસ.ટી.ડેપો ખાતેથી વૃદ્ધાના પર્સ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી,જે ગુન્હામાં શહેર A ડિવિઝન પોલીસે ઘરેણાં સહિત કુલ રૂપિયા 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે મહિલા આરોપીની અટકાયત કરી છે.

New Update
  • સીટી સેન્ટરમાંથી વૃદ્ધાના પર્સની ચોરીનો મામલો

  • પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો

  • પોલીસને મળી સફળતા 

  • વ્યારા ખાતેથી મહિલા આરોપીની કરી ધરપકડ

  • પોલીસે રૂ.3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો રિકવર

ભરૂચ સીટી સેન્ટર એસ.ટી.ડેપો ખાતેથી વૃદ્ધાના પર્સ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી,જે ગુન્હામાં શહેર ડિવિઝન પોલીસે ઘરેણાં સહિત કુલ રૂપિયા 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે મહિલા આરોપીની અટકાયત કરી છે.

ભરૂચ શહેરના સીટી સેન્ટર એસ.ટી.ડેપો ખાતેથી વયોવૃદ્ધ મહિલાના પર્સની ચોરી થઇ હતી.આ ઘટનામાં ભરૂચ શહેર ડિવિઝન પોલીસ દ્વારા સીટી સેન્ટર ખાતેના CCTV ફૂટેજ તથા મહત્વકાંક્ષી "VISHWAS પ્રોજેક્ટ" અંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ CCTV કેમેરા તથા હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે PSI  ટી.આર.મોદીની ટીમને આ ચોરીને અંજામ આપનાર શકમંદ મહિલાનું નામ-સરનામુ તથા મોબાઇલ નંબરની માહિતી મળી હતી.

પોલીસે જેના આધારે  મોબાઇલ નંબરની CDR/SDR માહિતી મેળવી લઈ મોબાઇલ નંબરના ધારક વ્યારા ખાતે રહેતા શકીલ નઝીર શાહને CCTV ફૂટેજ બતાવી પુછપરછ કરતા તેઓએ CCTV ફુટેજમાં નજરે પડતી મહિલા પોતાની પત્ની મોન્તી શકીલ નઝીર શાહ હોવાનું જણાવ્યું હતું.અને મહિલા પોલીસ દ્વારા મોન્તીની ધરપકડ કરવામાં આવી હતી.તેમજ પોલીસની પૂછપરછમાં મહિલાએ ચોરીની કબૂલાત કરી હતી.અને પોલીસે ચોરી કરેલા ઘરેણાં સહિત રોકડ રૂપિયા 15 હજારથી વધુ મળી કુલ રૂપિયા 3 લાખ 35 હજાર 500ના મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

 

 

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.