New Update
/connect-gujarat/media/media_files/2025/06/17/Kofxo3PqBMwXYbRUfZc3.jpg)
ભરૂચના વાલિયા-ઝઘડિયા માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ થતા વાલિયા પોલીસ મથકના જવાનોએ વન વિભાગની ટીમ સાથે મળી વૃક્ષને માર્ગની બાજુમાં ખસેડી સરાહનીય કામગીરી કરી હતી.
ભરૂચના વાલિયા પંથકમાં ગત સાંજે પવનના સુસવાટા સાથે ખાબકેલા ભારે વરસાદને પગલે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી.ત્યારે વાલિયા-ઝઘડિયા માર્ગ ઉપર વૃક્ષ વન વિભાગની કચેરી સામે અને નીલકંઠ સોસાયટી પાસે મુખ્ય માર્ગને અડીને આવેલા બે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી.જેને પગલે મુખ્ય માર્ગ ઉપર બંને તરફ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.આ અંગેની જાણ વાલિયા પોલીસ મથકે થતા પી.આઈ. એમ.બી.તોમરના માર્ગ દર્શન હેઠળ ડી-સ્ટાફના અજિતભાઈ,મનોજભાઈ અને નિશાંતભાઈ,કૌશિકભાઈ તેમજ સંદીપભાઈ સહિત અન્ય જવાનો તેમજ વન વિભાગના બીટ ગાર્ડ દિનેશ દિનેશ રાઠવા જેસીબી અને અન્ય વાહનની મદદ વડે બંને વૃક્ષો માર્ગ ઉપરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવી સરાહનીય કામગીરી કરી હતી.વાલિયા પોલીસના જવાનો અને વન વિભાગની કામગીરીને રાહદારીઓએ બિરદાવી હતી.