ભરૂચ: નેત્રંગ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની  ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ભરૂચના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી. 

New Update
  • જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ

  • જનજાતીય ગૌરવ દિવસની નેત્રંગમાં ઉજવણી કરાય

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત

  • ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

Advertisment W3.CSS
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની  ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ભરૂચના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી. 
ભરૂચના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.આ પ્રસંગે ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો નેત્રંગ ખાતેથી રાજ્યપાલના હસ્તે શુભારંભ કરાયો હતો.તેમજ આદિજાતિ વિભાગના યોજનાકીય લાભોનું લાભોર્થીઓને રાજ્યપાલના હસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી.તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના જમુઈથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન-પીએમ જનમનના લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કર્યો હતો.આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી,ભરૂચના સાંસદ મનસુખ વસાવા,જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અધિકારીઓ અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.