New Update
-
ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી મળી હતી મહિલા
-
6 માસ પૂર્વે ઝારખંડની મહિલા મળી હતી
-
સેવાયજ્ઞ સમિતિએ પરિવાર સાથે કરાવ્યું મિલન
-
મહિલા સ્થાનિક સિવાય અન્ય કોઈ ભાષા જાણતા ન હતા
-
ટ્રેનમાં મુસાફરી દરમ્યાન મહિલા થયા હતા ગુમ
ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી છ મહિના પૂર્વે મળી આવેલ ઝારખંડની મહિલાનો સેવાય યજ્ઞ સમિતિ દ્વારા તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ ઝારખંડના પલામૂ જિલ્લાના કાબરાકાલા ગામની વતની 55 વર્ષીય મીનાબેન ગોવિંદભાઈ ચૌધરીનું છ મહિના બાદ તેમના પરિવાર સાથે સુખદ પુનર્મિલન કરાવ્યું હતું.
મહિલા ભટકી ગયેલી હાલતમાં ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક મળી આવતાં સેવાયજ્ઞ સમિતિના કાર્યકરોએ તેમને અનાથ વૃદ્ધાશ્રમમાં રાખ્યા હતા. શરૂઆતમાં મીનાદેવી કોઈ ભાષામાં સંવાદ નહીં કરી શકતાં હોવાથી તેમનો સંપર્ક પરિવાર સાથે થઈ શક્યો નહીં.થોડા સમય બાદ તેમણે જણાવેલા મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા તેઓ ઝારખંડના વતની હોવાનું જાણવા મળ્યું હતું.
મીનાદેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની પુત્રી અને જમાઈને મળવા ટ્રેન દ્વારા જઇ રહ્યા હતા એ દરમ્યાન તેઓ ગુમ થઈ ગયા હતા. સ્થાનિક ભાષા સિવાય કોઈ બીજી ભાષા ન આવડતાં અને સામાન ચોરી જતાં તેઓ તરછોડાઈ ગયા હતા.સેવાયજ્ઞ સમિતિના હિમાંશુ પરીખ દ્વારા મીનાદેવીના જમાઈ અને પુત્રીનો સંપર્ક સાધી તેમને ભરૂચ બોલાવી મીનાદેવીનો મેળાપ કરાવ્યો હતો. સેવાયજ્ઞ સમિતિ હાલમાં આશરે ૨૦૦ અનાથ વૃદ્ધોની સંભાળ પરિવાર જેવી લાગણી સાથે રાખે છે અને આવા અનેક લોકોના પુનર્મિલન માટે સતત કાર્યરત રહે છે.
Latest Stories