ભરૂચ: 108 ઇમરજન્સી સેવાની મહિલાઓએ નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવી વિશ્વ મહિલા દિવસની કરી ઉજવણી

આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભરૂચ 108 અને 181 અભયમ સેવામાં ફરજ બજાવતી મહિલાઓએ નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવી  કટીંગ દ્વારા આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી

New Update
  • આજે તારીખ 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ

  • ભરૂચમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

  • 108 એમબ્યુલન્સ સેવાની મહિલાઓએ હલવાશની પળો વિતાવી

  • નર્મદા પાર્ક ખાતે વિવિધ રમતોનું કરવામાં આવ્યું આયોજન

  • કેક કટિંગ દ્વારા વિશ્વ મહિલા દિવસની કરાય ઉજવણી

Advertisment
આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભરૂચ 108 અને 181 અભયમ સેવામાં ફરજ બજાવતી મહિલાઓએ નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવી  કટીંગ દ્વારા આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી

આજરોજ તારીખ 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચમાં વિશ્વ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા, 181 અભયમ સેવા સહિતની ઇમરજન્સી સેવાઓમાં ફરજ બજાવતી મહિલાઓને નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવવાનો અવસર મળે એ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યાં કેક કટીંગ કરવામાં આવ્યું હતું અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ મહિલાઓને વિવિધ રમતો પણ રમાડવામાં આવી હતી. ઇમરજન્સી સેવામાં રોજીંદી દોડધામના બદલે હળવાશની પળો મહિલાઓ વિતાવી શકે તે માટે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા નર્મદા પાર્ક ખાતે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ જોડાયા હતા અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો !

ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ ભાગ લીધો હતો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • શંકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો

  • વિદ્યાર્થીઓને નોટબુકનું કરાયુ વિતરણ

  • મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ ભાગ લીધો હતો
ભરૂચ જિલ્લાના ધોળીકુઈ ખાતે આવેલ ભૃગુઋષિ બાળવાટિકામાં શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ  પ્રકાશ મોદીના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ટ્રસ્ટના સ્થાપક શંકર માછી,જગદીશ માછી સહિત ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પ્રકાશ મોદીએ ટ્રસ્ટના સેવાકીય કાર્યની સરાહના કરતા જણાવ્યુ હતું કે 
 શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સતત વિવિધ સંજોગોમાં, જેમ કે ગણેશ વિસર્જન, કોરોનાકાળ જેવી પરિસ્થિતિઓમાં સમાજની સેવા કરે છે જે અન્ય ટ્રસ્ટ માટે પ્રેરણારૂપ છે.
Advertisment