ભરૂચ : નર્મદા બ્રિજ પરથી યુવાને માર્યો મોતનો ભુસકો,સ્થાનિકોએ બચાવ્યો જીવ

ભરૂચમાં ગત રાત્રે સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.સ્થાનિક માછીમારોએ તેનો જીવ બચાવી લીધો હતો.

New Update
  • નર્મદા મૈયા બ્રિજ પરથી યુવકની મોતની છલાંગ

  • સુરતના યુવકે માર્યો મોતનો ભુસકો

  • માછીમારોએ બચાવ્યો જીવ

  • નાવડીના માધ્યમથી ડૂબતા યુવકને બચાવ્યો

  • પોલીસે શરૂ કરી વધુ તપાસ

ભરૂચમાં ગત રાત્રે સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.સ્થાનિક માછીમારોએ તેનો જીવ બચાવી લીધો હતો.

ભરૂચ નર્મદા બ્રિજ પરથી સુરતના એક યુવાને મોતનો ભૂસકો માર્યો હતો,જોકે આ સમય દરમિયાન સ્થાનિક માછીમારોએ સર્તકતા દાખવીને બોટની મદદથી યુવકને બચાવી લીધો હતો.અને સલામત રીતે નદી કિનારે લાવીને ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવક આઘાતમાં હોવાથી કોઈ માહિતી આપી શકતો ન હતોપરંતુ તેના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી.પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કર્યો છે અને આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણોની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

 

Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.