ભરૂચ : નર્મદા બ્રિજ પરથી યુવાને માર્યો મોતનો ભુસકો,સ્થાનિકોએ બચાવ્યો જીવ

ભરૂચમાં ગત રાત્રે સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.સ્થાનિક માછીમારોએ તેનો જીવ બચાવી લીધો હતો.

New Update
  • નર્મદા મૈયા બ્રિજ પરથી યુવકની મોતની છલાંગ

  • સુરતના યુવકે માર્યો મોતનો ભુસકો

  • માછીમારોએ બચાવ્યો જીવ

  • નાવડીના માધ્યમથી ડૂબતા યુવકને બચાવ્યો

  • પોલીસે શરૂ કરી વધુ તપાસ

ભરૂચમાં ગત રાત્રે સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.સ્થાનિક માછીમારોએ તેનો જીવ બચાવી લીધો હતો.

ભરૂચ નર્મદા બ્રિજ પરથી સુરતના એક યુવાને મોતનો ભૂસકો માર્યો હતો,જોકે આ સમય દરમિયાન સ્થાનિક માછીમારોએ સર્તકતા દાખવીને બોટની મદદથી યુવકને બચાવી લીધો હતો.અને સલામત રીતે નદી કિનારે લાવીને ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવક આઘાતમાં હોવાથી કોઈ માહિતી આપી શકતો ન હતોપરંતુ તેના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી.પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કર્યો છે અને આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણોની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Read the Next Article

ભરૂચ : પાલેજ પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઇસમની કરી ધરપકડ,એક વોન્ટેડ

ભરૂચની પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીને બાતમી મળી હતી કે પાલેજ નવીનગરી ખાતે રહેતો આરીફ આદમભાઇ પટેલ  પંચવટી હોટલના ગ્રાઉન્ડમાં પોતાના

New Update
-p-Two-arrested-for-betting-on-IPL-match--p-_1743103086441
ભરૂચની પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીને બાતમી મળી હતી કે પાલેજ નવીનગરી ખાતે રહેતો આરીફ આદમભાઇ પટેલ  પંચવટી હોટલના ગ્રાઉન્ડમાં પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ દુબઇ ખાતે રમાઇ રહેલ ડેઝર્ટ વાઇપર્સ તથા દુબઇ કેપિટલ્સની વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોન દ્રારા સટ્ટા બેંટીંગનો હારજીતનો જુગાર રમી રમાડે છે.
જે બાતમી આધારે દરોડા પાડતા આરીફ પટેલને ઝડપી પાડ્યો હતો.પોલીસે સ્થળ પરથી રૂ.21,450નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે શહેદાજ પટેલ રહે. પાલેજને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.