ભરૂચ: ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં નરાધમને ફાંસીની સજાની માંગ, ચૈતર વસાવાએ પોલીસને કરી રજુઆત

ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી.આ મામલામાં ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી

New Update
  • ભરૂચના ઝઘડિયાનો ચકચારી દુષ્કર્મ કેસ

  • ધારાસભ્ય ચૈતર વસાવા મળ્યા બાળકીના પરિવારજનોને

  • ભરૂચ પોલીસને કરી રજુઆત

  • નરાધમને ફાંસીની સજાની માંગ કરાય

  • ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાના આક્ષેપ

Advertisment
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે બનેલ ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી નરાધમને ફાંસીની સજા મળે તેવા પ્રયાસો કરવા માંગ કરી હતી.

ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી.આ મામલામાં હાલ બાળ બાળકી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ બાદ તેઓએ ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પહોંચી ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ચૈતર વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજેરોજ આવી ઘટનાઓ ઘટી રહી છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 648 નાબાલિક દીકરીઓ પીંખાઇ ગઈ છે. અમારો સવાલ છે કે આટલી બધી ઘટનાઓ ઘટે હવે બાદ પણ શા માટે દીકરીઓને ન્યાય મળતો નથી? અમારી માંગ છે કે આવા કેસો માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવે. 

Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.