New Update
-
ભરૂચને મહાનગર પાલિકા બનાવવા માંગ
-
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને લખાયો પત્ર
-
જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ લખ્યો પત્ર
-
ટેક્સ સહિતની તમામ વિગતો આપવામાં આવી
-
મહાનગરપાલિકાનો દરજ્જો ક્યારે મળે છે જોવું રહ્યું
ભરૂચ અંકલેશ્વરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને વિગતવારપત્ર લખ્યો છે. ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા સરકાર વર્ષોથી ઠેંગો બતાવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરી છે.
વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભરૂચ અને અંકલેશ્વરને ટ્વીન સીટી બનાવવાની જાહેરાત કરી હતી પણ આ પ્રોજેક્ટ અભરાયે ચઢી ગયો હતો. 2011માં ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી પ્રબળ સંભાવના હતી પણ સદભાવના ઉપવાસ વેળા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ અને અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની જાહેરાત કરી હતી.
રાજ્યમાં અનેક નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ બનાવી દેવામાં આવી છે પણ ભરૂચને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે.ભરૂચની સ્થાનિક નેતાગીરી પણ મહાનગરપાલિકા બનાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કેટલાક તથ્યો સાથે ફરી એક વખત ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ટેક્સ, ભૌગોલિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ તેમજ ધાર્મિક મહત્વ અંગેની તમામ વિગતો પત્રમાં દર્શાવવામાં આવી છે.
Latest Stories