ભરૂચને મહાનગરપાલિકા બનાવવાની માંગ, BJP પ્રમુખે CMને લખ્યો પત્ર !

ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરી

New Update
  • ભરૂચને મહાનગર પાલિકા બનાવવા માંગ

  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને લખાયો પત્ર

  • જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ લખ્યો પત્ર

  • ટેક્સ સહિતની તમામ વિગતો આપવામાં આવી

  • મહાનગરપાલિકાનો દરજ્જો ક્યારે મળે છે જોવું રહ્યું

Advertisment
ભરૂચ અંકલેશ્વરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને વિગતવારપત્ર લખ્યો છે. ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા સરકાર વર્ષોથી ઠેંગો બતાવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરી છે.
વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભરૂચ અને અંકલેશ્વરને ટ્વીન સીટી બનાવવાની જાહેરાત કરી હતી પણ આ પ્રોજેક્ટ અભરાયે ચઢી ગયો હતો. 2011માં ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી પ્રબળ સંભાવના હતી પણ સદભાવના ઉપવાસ વેળા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ અને અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની જાહેરાત કરી હતી.
રાજ્યમાં અનેક નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ બનાવી દેવામાં આવી છે પણ ભરૂચને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે.ભરૂચની સ્થાનિક નેતાગીરી પણ મહાનગરપાલિકા બનાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કેટલાક તથ્યો સાથે ફરી એક વખત ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ટેક્સ, ભૌગોલિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ તેમજ ધાર્મિક મહત્વ અંગેની તમામ વિગતો પત્રમાં દર્શાવવામાં આવી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment