ભરૂચને મહાનગરપાલિકા બનાવવાની માંગ, BJP પ્રમુખે CMને લખ્યો પત્ર !

ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરી

New Update
  • ભરૂચને મહાનગર પાલિકા બનાવવા માંગ

  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને લખાયો પત્ર

  • જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ લખ્યો પત્ર

  • ટેક્સ સહિતની તમામ વિગતો આપવામાં આવી

  • મહાનગરપાલિકાનો દરજ્જો ક્યારે મળે છે જોવું રહ્યું

ભરૂચ અંકલેશ્વરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને વિગતવારપત્ર લખ્યો છે. ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા સરકાર વર્ષોથી ઠેંગો બતાવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરી છે.
વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભરૂચ અને અંકલેશ્વરને ટ્વીન સીટી બનાવવાની જાહેરાત કરી હતી પણ આ પ્રોજેક્ટ અભરાયે ચઢી ગયો હતો. 2011માં ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી પ્રબળ સંભાવના હતી પણ સદભાવના ઉપવાસ વેળા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ અને અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની જાહેરાત કરી હતી.
રાજ્યમાં અનેક નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ બનાવી દેવામાં આવી છે પણ ભરૂચને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે.ભરૂચની સ્થાનિક નેતાગીરી પણ મહાનગરપાલિકા બનાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કેટલાક તથ્યો સાથે ફરી એક વખત ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ટેક્સ, ભૌગોલિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ તેમજ ધાર્મિક મહત્વ અંગેની તમામ વિગતો પત્રમાં દર્શાવવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું