ભરૂચ: આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી ભયજનક સપાટી નજીક,145 લોકોનું સ્થળાંતર

ભરૂચના આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થતાં નદી કાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.

New Update

ભરૂચના આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થતાં નદી કાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીને પગલે આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી  બે કાંઠે વહી રહી છે. હાલ ઢાઢર નદી 100.90 ફૂટ નજીક વહી રહી છે.ઢાઢર નદીની ભયજનક સપાટી ૧૦૨ છે ત્યારે આમોદ વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે.નદી કાંઠાના કાંકરિયા, પૂરસા રાણીપુરા, દાદાપોર, વાસણા, મંજોલા, જુના વાડિયા કોબલા સહિતના ગામોની આસપાસની ખેતીને વ્યાપક નુકશાન પહોચ્યું છે.તેમજ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અગમચેતીનાં ભાગ રૂપે એસ.ડી.આર.એફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.આ ઉપરાંત આમોદ વહીવટી તંત્ર તરફથી પણ નદી કાંઠાના લોકોને સ્વેચ્છાએ સ્થળાંતર કરી સલામત જગ્યાએ પહોંચવા અપીલ કરવામાં આવી છે.તેમજ સ્થાનિક તલાટીઓને સ્થળ ઉપર ચાંપતી નજર રાખી અસરગ્રસ્તોને રહેવા અને ભોજન સહિતની વ્યવસ્થા પૂરી પાડવાની સૂચના આપવામાં આવી છે.આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુલ ૭૬, દાદાપોરના ૬૪ તેમજ મંજોલા ગામના ૫ કુલ મળી ૧૪૫ લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.