ભરૂચમાં ભારે વરસાદ અને નર્મદા નદીમાં પૂરથી 1.18 લાખ હેક્ટર જમીન પરની ખેતીને નુકસાન

ભરૂચ નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ગોલ્ડન બ્રિજનું જળસ્તર 27 ફૂટે પહોંચતા જિલ્લામાં 48 ગામોમાં પૂરના તોફાની પાણી ફરી વળ્યા હતા.

New Update

ભરૂચ નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ગોલ્ડન બ્રિજનું જળસ્તર 27 ફૂટે પહોંચતા જિલ્લામાં 48 ગામોમાં પૂરના તોફાની પાણી ફરી વળ્યા હતા. જિલ્લામાં પૂરની સ્થિતિને કારણે કુલ 1 લાખ 18 હજાર હેક્ટર જમીન પરની ખેતીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી જંબુસર તાલુકાની સૌથી વધુ 43 હજાર હેક્ટર જમીનને પૂર ગ્રસ્ત જાહેર કરવામાં આવી છે.

નર્મદા નદીમાં પૂરથી 1.18 લાખ હેક્ટર જમીન પરની ખેતીને નુકસાન

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં  છોડવામાં આવ્યું હતું,જોકે તેના કારણે ભરૂચ ગોલ્ડન બ્રિજની જળસપાટી 27 ફૂટ સુધી પહોંચી હતી,અને જિલ્લાના 48 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.જેમાં જંબુસર, ઝઘડીયા, અંકલેશ્વર, હાંસોટ અને ભરૂચ તાલુકાઓને સંભવિત પૂર પીડિતો જાહેર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરના 5 ગામોમાંથી પણ 300થી વધુ લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાંથી દૂર કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના જમીન માપણીમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે,જાણવા મળ્યું હતું કે, જિલ્લામાં થયેલા એક સર્વે મુજબ પૂરના પાણીને કારણે જિલ્લામાં કુલ 1 લાખ 18 હજાર હેકટર જમીન પરની ખેતીમાં નુકસાન થયું છે,અને સૌથી વધુ 43 હજાર હેક્ટર જમીનમાં આમોદ અને જંબુસર કાંઠે નુકસાન થયું છે. અને કુલ નુકસાનનો અંદાજ રૂપિયા 110 કરોડ આંકવામાં આવી રહ્યો છે.
 
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ખેતીમાં નુકસાન સંદર્ભે 350 કરોડનું સમર્થન પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું,પરંતુ આ સહાય ખેડૂતોને હજી સુધી મળી ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જિલ્લા પંચાયત ના ખેતી નિયામક પ્રવીણ મંડાણીએ જણાવ્યું હતું કે, વરસાદની મોસમ પહેલા વરસાદી કાંસની સફાઈનું કામ ઘણી એજન્સીઓને સોંપવામાં આવે છે, પરંતુ આ એજન્સીઓ તેમનું કામ સારી રીતે કરતી નથી, પરિણામે વરસાદી પાણી ભરાઈ જાય છે અને ખેતીને નુકસાન થાય છે.મંડાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે તેમણે સમગ્ર સમસ્યા અંગે સરકાર અને જિલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી છે. એજન્સી સરકાર પાસેથી પૂરા પૈસા લે છે અને સંપૂર્ણ કામ કરતી નથી, જેના કારણે ખેડૂતો અને સરકારની તિજોરીને મોટું નુકસાન થાય છે.
 

Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.