ભરૂચ જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શનથી થતા રોગોનાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાયા

ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુનાં અહેસાસ સાથે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.

New Update
  • ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુની  અસર

  • વાયરલ ઇન્ફેક્શનના કેસમાં થયો વધારો

  • દર્દીઓથી  હોસ્પિટલ  ઉભરાઈ

  • શરદી,ખાંસી,તાવ સહિતનાં રોગથી પીડાતા લોકો

  • ઋતુજન્ય રોગથી સાવચેત રહેવા ડોક્ટરની અપીલ

Advertisment

ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુનાં અહેસાસ સાથે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાંપણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાયરલ ઇન્ફેક્શન સહિત  મલેરિયા,ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.જેમાંવાયરલ ઇન્ફેક્શનની વાત કરીએ તો બદલાતી જીવનશૈલી,રોગપ્રતિકારક શક્તિનો અભાવ હવામાનમાં વધતું જતું પ્રદૂષણ વગેરે અને કારણો જવાબદાર હોવાનું કહેવાય છે.સાથે સાથે જ દિવાળી વેકેશનમાં ફરવા જતા લોકો બહારની ચીજ વસ્તુઓ આરોગતા હોય છે.ત્યારે આવા સંજોગોમાં આ તકલીફોમાં વધારો જોવા મળી રહ્યો છે.

તદ્ઉપરાંત પ્રદૂષિતવાતાવરણમાં રહેલા ગેસ અને ઝેરી રજકણો હવાને અશુદ્ધ કરે છે અને તે લોકોના શ્વાસમાં જવાથી લોકો વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા હોવાનું પણ જાણકારો કહી રહ્યા છે.જોકે ખાસ વાત કરીએ તો છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં થઈ રહેલા ફેરફારથી ઠંડી અને ગરમીના કારણે અનેક લોકો વાયરલ ઇન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે.દિવસે ગરમી અને રાતે તેમજ વહેલી સવારે વાતાવરણમાં ઠંડક સાથે ભેજના કારણે શરદી તાવ અને ખાસ કરીને ગળું પકડાઈ જવું ખાંસી જેવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

 

Advertisment
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment