ભરૂચ જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શનથી થતા રોગોનાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાયા

ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુનાં અહેસાસ સાથે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.

New Update
  • ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુની  અસર

  • વાયરલ ઇન્ફેક્શનના કેસમાં થયો વધારો

  • દર્દીઓથી  હોસ્પિટલ  ઉભરાઈ

  • શરદી,ખાંસી,તાવ સહિતનાં રોગથી પીડાતા લોકો

  • ઋતુજન્ય રોગથી સાવચેત રહેવા ડોક્ટરની અપીલ

ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુનાં અહેસાસ સાથે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાંપણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાયરલ ઇન્ફેક્શન સહિત  મલેરિયા,ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.જેમાંવાયરલ ઇન્ફેક્શનની વાત કરીએ તો બદલાતી જીવનશૈલી,રોગપ્રતિકારક શક્તિનો અભાવ હવામાનમાં વધતું જતું પ્રદૂષણ વગેરે અને કારણો જવાબદાર હોવાનું કહેવાય છે.સાથે સાથે જ દિવાળી વેકેશનમાં ફરવા જતા લોકો બહારની ચીજ વસ્તુઓ આરોગતા હોય છે.ત્યારે આવા સંજોગોમાં આ તકલીફોમાં વધારો જોવા મળી રહ્યો છે.

તદ્ઉપરાંત પ્રદૂષિતવાતાવરણમાં રહેલા ગેસ અને ઝેરી રજકણો હવાને અશુદ્ધ કરે છે અને તે લોકોના શ્વાસમાં જવાથી લોકો વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા હોવાનું પણ જાણકારો કહી રહ્યા છે.જોકે ખાસ વાત કરીએ તો છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં થઈ રહેલા ફેરફારથી ઠંડી અને ગરમીના કારણે અનેક લોકો વાયરલ ઇન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે.દિવસે ગરમી અને રાતે તેમજ વહેલી સવારે વાતાવરણમાં ઠંડક સાથે ભેજના કારણે શરદી તાવ અને ખાસ કરીને ગળું પકડાઈ જવું ખાંસી જેવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

 

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.