અંકલેશ્વર SVEM શાળાની બેદરકારી, વરસાદી પાણી ભરાયા બાદ બાળકોને રજા અપાઈ

ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે,જેના કારણે વરસાદી પાણીથી પ્રભાવિત થતી શાળાઓમાં રજા જાહેર કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી

New Update
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે,જેના કારણે વરસાદી પાણીથી પ્રભાવિત થતી શાળાઓમાં રજા જાહેર કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી પરંતુ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જલારામ નગરની સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળા પાસે પાણી ભરાયા બાદ બાળકોને રજા આપવામાં આવી હતી.જે અંગેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળા પાસે પાણી ભરાયા બાદ બાળકોને રજા આપવામાં આવી

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની આગાહી કરવામાં આવી હતી,જેના પગલે અંકલેશ્વરમાં અઢી ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો, વરસાદની આફતને જોતા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ભરૂચ શહેરની શાળાઓમાં રજા જાહેર કરી હતી,અને વરસાદના પાણીથી પ્રભાવિત થતા વિસ્તારની શાળાઓમાં પ્રિન્સિપાલ દ્વારા રજા અંગેનો નિર્ણય લેવા માટે જણાવવામાં આવ્યું હતું.પરંતુ અંકલેશ્વર શહેરના જલારામ નગર ખાતેની અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું હતું,જોકે વરસાદી પાણી ભરાતા શાળા દ્વારા બાળકોના વાલીઓનો સંપર્ક કરીને રજા આપવામાં આવી હતી,અને આ અંગેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.આ અંગે શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલાએ જણાવ્યું હતું કે સવારના સમયે શાળા પાસે વરસાદી પાણી ભરાયા  નહતા અને આ અંગે શાળાના સુપરવાઈઝર સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી,અને શાળામાં પરીક્ષા પણ હતી,જોકે ત્યાર બાદ વરસાદી પાણી ભરાવવાના કારણે તાત્કાલિક બાળકોના વાલીઓનો સંપર્ક કરીને શાળામાં રજા આપવામાં આવી હતી.    
 
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.